إعدادات العرض
મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પરિવારે ક્યારેય દિવસમાં બે વાર ભોજન નથી લીધું, પરંતુ તેમાં એક ખજૂર હોતી
મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પરિવારે ક્યારેય દિવસમાં બે વાર ભોજન નથી લીધું, પરંતુ તેમાં એક ખજૂર હોતી
ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેમણે કહ્યું: મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પરિવારે ક્યારેય દિવસમાં બે વાર ભોજન નથી લીધું, પરંતુ તેમાં એક ખજૂર હોતી.
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]
الترجمة
العربية Português دری Македонски Magyar Tiếng Việt ქართული বাংলা Kurdî ไทย অসমীয়া Nederlands ਪੰਜਾਬੀ Bahasa Indonesia Kiswahili Hausa ភាសាខ្មែរ Englishالشرح
ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા જણાવે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પરિવારના લોકોએ જો ક્યારેક એક દિવસમાં બે વખત ભોજન કર્યું હોય, તો તે બન્ને માંથી એક વખતનું ભોજન ખજૂર હોતી.فوائد الحديث
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને આપના પરિવારના લોકો ખુબ જ વિનમ્ર હતા; ક્યારેક તો તેમને દિવસમાં એક કરતા વધુ ભોજન પ્રાપ્ત પણ થતું ન હતું.
ખજૂર અન્ય ખોરાક કરતા વધુ સરળતાથી ઉપલબ્ધ હોતી.
થોડી રોજી પર સંતોષ રહેવા અને દુનિયાથી અળગા રહેવાની મહત્ત્વતા, અને તે પયગંબરો અને પયગંબરોના સરદાર (નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) ના અખ્લાક (શિષ્ટાચાર) માંથી છે.
દિવસમાં બે વાર ભોજન લેવું જાઈઝ છે અને તે અરબોની આદત માંથી છે, તેઓ દિવસ માં બે વાર ભોજલ લેતા હતા, બપોરનું ભોજન અને રાત્રિનું ભોજન.
