ખરેખર જ્યારે તમારા માંથી કોઈ મૃત્યુ પામે છે, તો સવાર સાંજ તેને તેનું ઠેકાણું બતાવવામાં આવે છે

ખરેખર જ્યારે તમારા માંથી કોઈ મૃત્યુ પામે છે, તો સવાર સાંજ તેને તેનું ઠેકાણું બતાવવામાં આવે છે

અબ્દુલ્લાહ ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ખરેખર જ્યારે તમારા માંથી કોઈ મૃત્યુ પામે છે, તો સવાર સાંજ તેને તેનું ઠેકાણું બતાવવામાં આવે છે, જો તે જન્નતી લોકો માંથી હશે તો તેને જન્નતમાં તેનું ઠેકાણું બતાવવામાં આવે છે, અને જો તે જહન્નમી હશે તો જહન્નમમાં તેનું ઠેકાણું બતાવવામાં આવે છે, અને તેને કહેવામાં આવશે કે આ તમારું ઠેકાણું છે, અહીં સુધી કે અલ્લાહ તમને કયામતના દવસે બીજી વખત ઊભા કરશે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જ્યારે બંદો મૃત્યુ પામે છે તો તેની સામે તેની ખાસ જગ્યા જે જન્નત અથવા જહન્નમ બન્ને માંથી એક રજૂ કરવામાં આવે છે, સવાર સાંજ, જો તે જન્નતી હશે તો તેને જન્નતનું ઠેકાણું દેખાડવામાં આવે છે, અને જો તે જહન્નમી હશે તો તેને જહન્નમનું ઠેકાણું દેખાડવામાં આવે છે, અને કહેવામાં આવે છે: આ તમારું તે ઠેકાણું છે, જેના પર તમને અલ્લાહ કયામતના દિવસે ઊભા કરશે, તેના દ્વારા મોમિનને શાંતિ મળે છે, અને કાફિરને અઝાબ.

فوائد الحديث

કબરની નેઅમતો અને અઝાબ સત્ય છે.

ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: આ રજૂઆત પરહેજગાર મોમિન અને કાફિર માટે સ્પષ્ટ છે, જ્યાં સુધી ગુનેગાર મોમિનની વાત છે, તો શક્ય છે કે તેને પણ તેનું જન્નતનું ઠેકાણું બતાવવામાં આવશે, જેમાં તે અંતમાં રહેશે.

التصنيفات

બરઝખી જીવન