إعدادات العرض
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કૃત્રિમ વાળ જોડવાવાળી તથા જોડાવવા વાળી સ્ત્રી અને ટેટૂ કરાવવાવાળી અને કરવાવાળી…
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કૃત્રિમ વાળ જોડવાવાળી તથા જોડાવવા વાળી સ્ત્રી અને ટેટૂ કરાવવાવાળી અને કરવાવાળી સ્ત્રી પર લઅનત કરી છે
અબ્દુલ્લાહ ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કૃત્રિમ વાળ જોડવાવાળી તથા જોડાવવા વાળી સ્ત્રી અને ટેટૂ કરાવવાવાળી અને કરવાવાળી સ્ત્રી પર લઅનત કરી છે.
الترجمة
العربية Bosanski English فارسی Français Bahasa Indonesia Русский Türkçe اردو हिन्दी 中文 Kurdî Português Tiếng Việt Kiswahili Nederlands অসমীয়া සිංහල Magyar ქართული Hausa Românăالشرح
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ચાર પ્રકારના લોકો માટે લઅનત અને અલ્લાહની કૃપાથી દૂરીની દુઆ કરી છે: પહેલો પ્રકાર: તે સ્ત્રી જે કુત્રિમ વાળ દ્વારા પોતાના અને અન્ય સ્ત્રીના વાળને જોડે છે. બીજો પ્રકાર: તે સ્ત્રી જો અન્ય પાસે કુત્રિમ વાળ દ્વારા પોતાના વાળમાં વાળ જોડાવે. ત્રીજો પ્રકાર: ટેટૂ કરવાવાળી સ્ત્રી, જે સોઈને શરીરની કોઈ જગ્યા, જેમકે ચહેરા, હથેળી અથવા છાતીમાં નાખે છે, તેના પર સુરમો અથવા તેના જેવી કોઈ વસ્તુ લગાવે છે, અહીં સુધી કે તેનો નિશાન વાદળી અથવા લીલા રંગનો થઈ જાય છે; ફક્ત સુંદરતા અને શણગાર માટે. ચોથો પ્રકાર: તે સ્ત્રી જે કોઇની પાસે જઈ ટેટૂ કરાવે છે. આ દરેક કાર્યો કબીરહ ગુનાહો (મહાપાપ) માંથી છે.فوائد الحديث
ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: વાળને વાળ સાથે જોડવુ હરામ છે, પરંતુ જો કોઈ સ્ત્રી વાળને અન્ય વસ્તુ સાથે જોડે છે જેમકે કપડાંનો ટુકડો અથવા તેના જેવી કોઈ વસ્તુ, તો આ કાર્ય હરામ કાર્યો માંથી નથી.
ગુનાહના કાર્યોમાં સહકાર આપવો હરામ છે.
અલ્લાહના સર્જનમાં ફેરફાર કરવા પર પ્રતિબંધ; કારણકે તે જૂઠ અને ધોખો છે.
સામાન્ય રીતે જે વ્યક્તિ પર અલ્લાહ અને તેના પયગંબરે લઅનત કરી હોય તેને લઅનત કરી શકાય છે.
આપણાં સમયમાં ચાલતી કૃત્રિમ વાળની ટોપી, જે વાળને વધારવા માટે પહેરવામાં આવે છે, તે પણ હરામ છે, કારણકે તે કાફિરોનું અનુસરણ, ધોખો, અને જૂઠ જેવા તત્વોના કારણે હરામ છે.
ઈમામ ખત્તાબી રહિમહુલ્લાહએ કહ્યું: આ કાર્યો પ્રત્યે સખત ચેતવણી એટલા માટે વર્ણન કરવામાં આવી કે તેમાં ધોખો અને છેતરપિંડી છે, અને જો આ કાર્યો માંથી કોઈ કાર્યની પરવાનગી આપવામાં આવે તો તે ધોખાના કાર્યો માંથી કોઈ કાર્યની પરવાનગી આપવા માફક છે, તે સિવાય આ કાર્યોમાં જે પ્રાકૃતિક સર્જન છે તેમાં ફેરફાર કરવા જેવુ છે, જેમકે ઈબ્ને મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુની હદીષમાં વર્ણન કરવામાં આવ્યું: "તે સ્ત્રીઓ જે અલ્લાહના સર્જનમાં ફેરફાર કરી દે છે" અલ્લાહ જ વધુ જાણે છે.
ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: આ કાર્ય કરનાર અને કરાવનાર બંને માટે હરામ (પ્રતિબંધિત) છે, ટેટૂ કારવેલો ભાગ નાપાક થઈ જાય છે, જો તેને ઈલાજ વડે દૂર કરવું શક્ય હોય તો તેના માટે વાજિબ અને જરૂરી છે, પરંતુ જો તેને હટાવવું ફક્ત કાપીને જ શક્ય હોય તો વધુ નુકસાન થવાનો અંદેશો છે, કોઈ અંગમાં ખરાબી અથવા શરીરને જાહેર ભાગને જો સખત નુકસાન પહોંચે તો, તેને દૂર કરવું જરૂરી નથી, અને તે વ્યક્તિ જો તૌબા કરી લે તો તેના પર કોઈ ગુનોહ નથી, અને જો કોઈ નુકસાન ન હોય તો તેને દૂર કરવું જરૂરી બની જાય છે, અને તેમાં વિલંબ કરવો યોગ્ય નથી, તેમની વાત પૂર્ણ થઈ.
التصنيفات
અલ્ લિબાસુ વઝ્ ઝિનહ