إعدادات العرض
મારા પર એક એવી આયત ઉતારવામાં આવી છે, જે મને સંપૂર્ણ દુનિયા કરતાં પણ વધુ પ્રિય છે
મારા પર એક એવી આયત ઉતારવામાં આવી છે, જે મને સંપૂર્ણ દુનિયા કરતાં પણ વધુ પ્રિય છે
અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: જ્યારે આ આયત ઉતરી: {નિ:શંક (હે પયગંબર)! અમે તમને એક ખુલ્લી જીત આપી દીધી, જેથી અલ્લાહ તમારી આગળ-પાછળની દરેક ભૂલચૂક માફ કરી દે} અહીં સુધી {ખુબ જ ભવ્ય સફળતા છે}. [અલ્ ફત્હ: ૧-૫], તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો હુદૈબિયહથી પાછો ફરવાનો સમય હતો, લોકોના દિલ પર ભય અને ચિંતા છવાઈ હતી, અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કુરબાનીના ઊંટ નહર કરી દીધા હતા, ત્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «મારા પર એક એવી આયત ઉતારવામાં આવી છે, જે મને સંપૂર્ણ દુનિયા કરતાં પણ વધુ પ્રિય છે».
الترجمة
العربية Tiếng Việt Bahasa Indonesia Nederlands Kiswahili অসমীয়া English සිංහල Magyar ქართული Hausa Românăالشرح
અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુએ જણાવ્યું કે જ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર આ આયાત ઉતરી: {નિ:શંક (હે પયગંબર)! અમે તમને એક ખુલ્લી જીત આપી દીધી. (૧) જેથી અલ્લાહ તમારી આગળ-પાછળને દરેક ભૂલચૂક માફ કરી દે અને તમારા પર પોતાની કૃપા પૂરી કરી દે, અને તમને સત્ય માર્ગ પર ચલાવે.(૨) અને તમને એક પ્રભાવશાળી સહાયતા આપે. (૩) તે જ છે, જેણે મુસલમાનોના હૃદયોમાં શાંતિ આપી દીધી, જેથી પોતાના ઇમાન દ્વારા વધુ શાંતિમાં વધારો કરે, અને આકાશો અને ધરતીના (દરેક) લશ્કર અલ્લાહના જ છે અને અલ્લાહ તઆલા ખુબ જ જાણવાવાળો, હિકમતવાળો છે. (૪) જેથી ઇમાનવાળા પુરૂષો અને સ્ત્રીઓને તે જન્નતોમાં પ્રવેશ આપે જેની નીચે નહેરો વહી રહી છે, જ્યાં તેઓ હંમેશા રહેશે અને બુરાઈને તેમનાથી દૂર કરી દે અને અલ્લાહની નજીક આ ખુબ જ ભવ્ય સફળતા છે} [અલ્ ફત્હ: ૧-૫], તે સમય હુદૈબિયહથી પાછા ફરવાનો સમય હતો, અને સહાબા પર ભય અને ચિંતા છવાઈ ગઈ હતી, કારણકે તેમને કરાર અનુસાર ઉમરહ કરવાથી રોકી દેવામાં આવ્યા હતા, અને તેમને પોતાના કુરબાનીના જાનવર હુદૈબિયહમાં ઝબેહ કરી દીધા હતા, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: ખરેખર મારા પર એવી આયત ઉતારવામાં આવી છે, જે મને સમગ્ર દુનિયાની વસ્તુ કરતાં પણ વધુ પ્રિય છે.فوائد الحديث
હુદૈબિયહના કરારમાં અલ્લાહ તઆલાએ જે નેઅમતો પોતાના નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર ભવ્ય વિજય રૂપે આપી છે તેનું વર્ણન; કારણકે અલ્લાહ તઆલાએ તેમને કહ્યું: {નિ:શંક (હે પયગંબર)! અમે તમને એક ખુલ્લી જીત આપી દીધી} બે આયતો.
અલ્લાહ તઆલાએ જે સહાબા પર એહસાન કર્યો તેનું વર્ણન, જ્યારે તેઓ તેના આદેશ સમક્ષ ઝૂકી ગયા, તો તેમના વિષે આયત ઉતારી: {જેથી ઇમાનવાળા પુરૂષો અને સ્ત્રીઓને તે જન્નતોમાં પ્રવેશ આપે જેની નીચે નહેરો વહી રહી છે} સંપૂર્ણ આયત.
પોતાના પયગંબર અને મોમિનો પર અલ્લાહની કૃપાને સ્પષ્ટ કરીને તેમના માટે વિજય અને મદદનું વર્ણન.
ઈમામ સઅદી રહિમહુલ્લાહએ આ આયતની સમજૂતીમાં કહ્યું: {નિ:શંક (હે પયગંબર)! અમે તમને એક ખુલ્લી જીત આપી દીધી} [અલ્ ફત્હ: ૧], જે વિજય વર્ણન કરવામાં આવ્યો છે તે હુદૈબિયહનો કરાર છે, જ્યારે મુશરીકોએ અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઉમરહ કરવા માટે આવ્યા હતા તો રોક્યા, એમ લાંબા કઠન પછી છેવટે તેઓએ નબી સાથે સમાધાન કર્યું કે તેમની વચ્ચે દસ વર્ષ સુધી યુદ્ધ રોકી દેવામાં આવે, અને તેઓ આવતા વર્ષે ઉમરહ કરવા માટે આવે, અને જે વ્યક્તિ કુરૈશ અને તેમના કરારમાં દાખલ થવા ઈચ્છે તો તે દાખલ થઈ શકે છે, અને જે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે જોડાવવા ઈચ્છે તો, તે પણ દાખલ થઈ શકે છે, જેના કારણે લોકો એકબીજાથી સુરક્ષિત થઈ ગયા, અલ્લાહના દીનની દઅવત આપવાનો માર્ગ વિશાળ થઈ ગયા, અને આ શહેરોમાં કોઈ જગ્યાએ રહેનારા લોકો સુરક્ષિત થઈ ગયા, તે સમયે લોકો ઇસ્લામની વાસ્તવિકતા જાણવા લાગ્યા, અને જુથ બની ઇસ્લામ અપનાવવા લાગ્યા, જેથી અલ્લાહએ તેનું નામ વિજય બતાવ્યું, અને તેણે સ્પસ્ટ વિજય અર્થાત્: સ્પષ્ટ અને જાહેર, જેનો હેતુ કાફિરોના શહેર પર વિજય મેળવવાનો, અલ્લાહના દીનને મજબૂત કરવાનો અને મુસલમાનોની મદદ કરવાનો હતો, અને આ વિજય સાથે આ વસ્તુ પ્રાપ્ત થઈ.