જે વ્યક્તિ કુરઆન પઢવામાં નિષ્ણાંત હોય, તે સન્માનિત અને નેક ફરિશ્તાઓ સાથે હશે, અને જે વ્યક્તિ કુરઆન પઢવામાં…

જે વ્યક્તિ કુરઆન પઢવામાં નિષ્ણાંત હોય, તે સન્માનિત અને નેક ફરિશ્તાઓ સાથે હશે, અને જે વ્યક્તિ કુરઆન પઢવામાં નિષ્ણાંત ન હોય અને અટકી અટકીને કુરઆન પઢે, અને તેને કુરઆન પઢવામાં કઠિનાઈ થતી હોય, તેના માટે બમળો સવાબ છે

આઈશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિ કુરઆન પઢવામાં નિષ્ણાંત હોય, તે સન્માનિત અને નેક ફરિશ્તાઓ સાથે હશે, અને જે વ્યક્તિ કુરઆન પઢવામાં નિષ્ણાંત ન હોય અને અટકી અટકીને કુરઆન પઢે, અને તેને કુરઆન પઢવામાં કઠિનાઈ થતી હોય, તેના માટે બમળો સવાબ છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જે વ્યક્તિ કુરઆન પઢે અને તેને સચોટ યાદ હોય અને તે પઢવામાં નિષ્ણાંત હોય, તો તે આખિરતમાં સન્માનિત ફરિશ્તાઓ સાથે હશે, જે તેનો બદલો હશે અને જે વ્યક્તિ કુરઆન પઢે છે અને તે અટકી અટકીને પઢે છે, અને તે પોતાની કમજોર યાદશક્તિના કારણે પણ ધીમે ધીમે પઢતો હોય અને આ કાર્યમાં તેને કઠિનાઈનો સામનો કરવો પડતો હોય, તો તેના માટે બમળો સવાબ છે, એક પઢવાનો સવાબ અને બીજો પઢવામાં કઠિનાઈનો સવાબ.

فوائد الحديث

આ હદીષમાં કુરઆનને સચોટ રીતે યાદ કરવા, આખિરતમાં ખૂબ જ સવાબ પ્રાપ્ત કરવા અને કુરઆનની ખૂબ જ તિલાવત કરવા પર ઊભાર્યા છે, અને આમ કરવાવાળાઓ માટે ઉચ્ચ દરજ્જાનું વર્ણન કર્યું છે.

ઈમામ કાઝી ઇયાઝ રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષનો અર્થ તે નથી કે કુરઆનને અટકી અટકીને પઢનાર માટે કુરઆનને સારી રીતે પઢવાવાળા માટે વધુ સવાબ છે, પરંતુ કુરઆનને સારી રીતે પઢવાવાળો શ્રેષ્ઠ છે, અને તેનો સવાબ પણ વધારે છે; કારણકે તે સન્માનિત ફરિશ્તાઓ સાથે હશે, અને તેના માટે ઘણા સવાબ અને ઇનામો છે, અને આ મહત્ત્વતા અન્ય વ્યક્તિ માટે વર્ણન કરવામાં નથી આવી, અને જે વ્યક્તિએ અલ્લાહની કિતાબને યાદ કરવા, તેમાં મહારત પ્રાપ્ત કરવા, ખૂબ તિલાવત કરવા, અને તેના જ્ઞાન પર સંપૂર્ણ ધ્યાન ન આપ્યું હોય તે કેવી રીતે તે વ્યક્તિ પર પ્રાથમિકતા મેળવી શકે છે, જેણે સંપૂર્ણ રીતે આ દરેક બાબતોનું ધ્યાન રાખ્યું હોય.

ઈમામ ઈબ્ને બાઝ રહિમહુલ્લાહએ કહ્યું: જે વ્યક્તિ કુરઆન પઢે છે અને તે તેમાં સંપૂર્ણ મહારત ધરાવે છે, અને સારી રીતે તેની તિલાવત કરે છે, અને તેને સારી રીતે યાદ કરે છે, તે સન્માનિત અને આજ્ઞાકારી ફરિશ્તાઓ સાથે હશે, અર્થાત્ તે તેને જુબાન અને અમલ બંને રીતે પઢતો હશે, ફક્ત પઠન કરવાના કારણે નહીં, તે તેણે પઢવા અને તેના આદેશો પર અમલ કરવા પર પ્રાથમિકતા ધરાવતો હશે, અર્થાત્ શબ્દ અને અર્થ બંને પર તે કાર્યરત હશે.

التصنيفات

કુરઆન તરફ આકર્ષિત કરવાની મહત્ત્વતાઓ, કુરઆન મજીદની મહ્ત્વતા