બદર અને હુદૈબિયહમાં ભાગ લેનાર વ્યક્તિ ક્યારેય જહન્નમમાં દાખલ નહીં થાય

બદર અને હુદૈબિયહમાં ભાગ લેનાર વ્યક્તિ ક્યારેય જહન્નમમાં દાખલ નહીં થાય

જાબિર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું; અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «બદર અને હુદૈબિયહમાં ભાગ લેનાર વ્યક્તિ ક્યારેય જહન્નમમાં દાખલ નહીં થાય».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જે વ્યક્તિએ પણ હિજરતના બીજા વર્ષમાં થયેલ બદરના યુદ્ધમાં ભાગ ભજવ્યો અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે ભેગા મળી યુદ્ધ કર્યું, અને હુદૈબિયહના સમાધાન સમયે પ્રતિજ્ઞા લીધી, જે હિજરતના છઠ્ઠા વર્ષે થઈ હતી, તે ક્યારેય પણ જહન્નમમાં દાખલ નહીં થાય.

فوائد الحديث

આ હદીષમાં બદર અને હુદૈબિયહમાં ભાગ લેનારની મહત્ત્વતાનું વર્ણન, અને તેઓ ક્યારે પણ જહન્નમમાં દાખલ નહીં થાય.

આ હકીકત વર્ણન કરી અલ્લાહ તેમને અન્યાયથી બચાવે છે, અને તેમને ઈમાનની સ્થિતિમાં મૃત્યુ આપે છે, અને તેમને જહન્નમનો અઝાબ આપ્યા વગર જન્નતમાં દાખલ કરશે, આ અલ્લાહની કૃપા છે, જેને ઈચ્છે તેને આપે છે, અને તે ખૂબ જ કૃપાળુ અને દયાળુ છે.

التصنيفات

સહાબા રઝી અલ્લાહુ અન્હુમની મહત્ત્વતા, સહાબા રઝી અલ્લાહુ અન્હુમના દરજ્જા, સહાબા રઝી.ની મહ્ત્વતા