જે વ્યક્તિ પણ મક્કાહના હરમમાં જુલમ કરવાનો ઇરાદો કરશે, ભલે તે અદન (યમનના એક શહેર)નો રહેવાસી કેમ ન હોય, તો અલ્લાહ તેને…

જે વ્યક્તિ પણ મક્કાહના હરમમાં જુલમ કરવાનો ઇરાદો કરશે, ભલે તે અદન (યમનના એક શહેર)નો રહેવાસી કેમ ન હોય, તો અલ્લાહ તેને દુ:ખદાયી અઝાબ આપશે

અબ્દુલ્લાહ બિન મસ્ઉદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા રિવાયત કરે છે: સર્વશક્તિમાન અલ્લાહની આ આયત વિષે: {જે કોઈ જુલમ કરતા મસ્જિદે હરામમાં અવજ્ઞા કરશે, આવા લોકોને અમે દુ:ખદાયી અઝાબ ચખાડીશું} [અલ્ હજ્જ: ૨૫] કહ્યું: «જે વ્યક્તિ પણ મક્કાહના હરમમાં જુલમ કરવાનો ઇરાદો કરશે, ભલે તે અદન (યમનના એક શહેર)નો રહેવાસી કેમ ન હોય, તો અલ્લાહ તેને દુ:ખદાયી અઝાબ આપશે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)]

الشرح

અબ્દુલ્લાહ બિન મસ્ઉદ રઝી અલ્લાહુ અન્હુએ અલ્લાહ તઆલાની આ આયત વિષે જણાવ્યું: {જે કોઈ જુલમ કરતા મસ્જિદે હરામમાં અવજ્ઞા કરશે, આવા લોકોને અમે દુ:ખદાયી અઝાબ ચખાડીશું} [અલ્ હજ્જ: ૨૫] કહ્યું: જો કોઈ વ્યક્તિ મક્કાહના હરમમાં કોઈ ખરાબ કામ કરવાનો ઇરાદો કરે, અને પોતાની જુબાન વડે હરમની પવિત્રતાનું ઉલંઘન કરવાનો ઇરાદો કરે અથવા અત્યાચાર રૂપે કતલ કરે તે જુલમ છે, અને જે આ પ્રમાણેનો ઇરાદો તે યમનમાં આવેલા અદન શહેરમાં રહી કરે, તો તે તેના કારણે અલ્લાહના દુ:ખદાઈ અઝાબનો હકદાર બની જાય છે, ભલેને તે તે કાર્ય ન કરે, તેનો ઇરાદો અઝાબ માટે પૂરતો છે.

فوائد الحديث

હરમની વિશેષતા અને તેની પવિત્રતાનું વર્ણન.

ઈમામ સઅદી રહિમહુલ્લાહએ કહ્યું: આ આયતમાં જણાવામાં આવ્યું કે હરમનું સન્માન કરવું વાજિબ (અનિવાર્ય) છે, અને જે વ્યક્તિ તેમાં ખરાબ કામ કરવાનો ઇરાદો કરશે તો તેને સખત ચેતવણી આપવામાં આવી છે.

ઈમામ ઝહ્હાક રહિમહુલ્લાહએ કહ્યું: જો કોઈ વ્યક્તિ અન્ય શહેરમાં રહી મક્કાહમાં ગુનોહ કરવાનો ઇરાદો કરશે, તો તે ગુનોહ તેના નામે લખવામાં આવશે, ભલેને તેને તે ન કરે.

التصنيفات

કુરઆન ઉતરવાના કારણો