ખબરદાર શરાબ હરામ થઈ ગઈ છે

ખબરદાર શરાબ હરામ થઈ ગઈ છે

અનસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: હું અબૂ તલ્હાના ઘરે લોકોને શરાબ પીવડાવી રહ્યો હતો, તે સમયે ખજૂરથી બનેલી શરાબ પીતા હતા, પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એક અવાજ આપનારને આદેશ આપી મોકલ્યો: ખબરદાર શરાબ હરામ થઈ ગઈ છે, તેમણે કહ્યું: અબૂ તલ્હાએ મને કહ્યું: બહાર જઈ આ બધી જ શરાબ ફેંકી દો, મેં બહાર જઈ સંપૂર્ણ શરાબ વહાવી દીધી, શરાબ મદીનહની ગલીઓમાં વહેવા લાગી, કેટલાકે લોકોએ કહ્યું: એવું લાગે છે કે ઘણા લોકો આ જ સ્થિતિમાં કતલ કરી દેવામાં આવ્યા કે શરાબ તેમના પેટમાં હતી, પછી અલ્લાહએ આ આયત ઉતારી: {જે લોકો ઈમાન લાવ્યા અને નેક અમલ કર્યા તેમને એ વાત પર કઈ ગુનોહ નથી થાય, જે તેઓ (શરાબ પીવા પર રોક આવવા પહેલા) પી લીધું છે} [અલ્ માઇદહ: ૯૩].

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુએ જણાવ્યું કે તેઓ અબૂ તલ્હાના ઘરે શરાબ પીવડાવી રહ્યા હતા, તે સમયે ખજૂરથી જ શરાબ બનાવતા હતા, ખજૂરને સુકાવી તેના રસ દ્વારા બનાવી લેતા, પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એક અવાજ આપનારને મોકલ્યો, તેણે બૂમ પાડી અને કહ્યું: ખબરદાર શરાબ હરામ થઈ ગઈ છે, અનસ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: અબૂ તલ્હાએ મને કહ્યું: બહાર જઈ આ જેટલી શરાબ છે, તે વહાવી દો, હું બહાર નીકળ્યો અને બધી જ શરાબ વહાવી દીધી, મદીનાની ગલીઓમાં શરાબ વહેવા લાગી, કેટલાક લોકોએ કહ્યું: કેટલાક લોકોને કતલ કરી દેવામાં આવ્યા, એ સ્થિતિમાં કે તેમના પેટમાં હજુ શરાબ હતી, તો અલ્લાહ તઆલાએ આ આયત ઉતારી: {જે લોકો ઈમાન લાવ્યા અને નેક અમલ કર્યા તેમને એ વાત પર કઈ ગુનોહ નથી થાય, જે તેઓ (શરાબ પીવા પર રોક આવવા પહેલા) પી લીધું છે} [અલ્ માઈદહ: ૯૩] આયત સુધી. અર્થાત્: જે લોકો ઇમાન લાવ્યા છે તેમના પર શરાબ હરામ થવા પહેલા જો પીધી હશે તો તેમના પર કોઈ ગુનોહ નથી.

فوائد الحديث

અબૂ તલ્હા અને અન્ય સહાબાઓની મહત્ત્વતા કે તેઓએ અલ્લાહના આદેશ પર કંઈ પણ સવાલ કર્યા વગર અમલ કરવામાં ઉતાવળ કરી, સાચા મુસલમાને આમ જ કરવું જોઈએ.

અલ્ ખમર (શરાબ): જેમાં દરેક નશીલો પદાર્થ સમાવેશ થાય છે.

અલ્ ફઝીહ: કાચી ખજૂર અને પાકી ખજૂરથી બનાવવામાં આવેલો રસ, જેને આગમાં બનાવવામાં ન આવ્યા હોય, બસ્ર: ખજૂર બનતા પહેલાનું ફળ.

ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: મુહલ્લિબે કહ્યું: જાહેરમાં તેના અસ્વીકારની જાહેરાત કરવા અને તેના ત્યાગને વ્યાપકપણે પ્રસિદ્ધ કરવા માટે ગલીઓમાં શરાબ રેડવામાં આવી હતી, તેને ગલીઓમાં ઠાલવવાથી થતા નુકસાન કરતાં વધુ ફાયદો થયો.

બંદાઓ પ્રત્યે અલ્લાહની ભવ્ય કૃપાનું વર્ણન કે તે આદેશ આપતા પહેલા કરવામાં આવેલ કાર્યો પર પકડ નહીં કરે.

અલ્લાહએ દારૂ પર પ્રતિબંધ લગાવ્યો; તેમાં એવા દુષણો છે, જે મન અને ધનને નુકસાન પહોંચાડે છે અને તેના કારણે વ્યક્તિ ઘણા પાપ કરે છે, બુદ્ધિ મંદ થઈ જવાના કારણે.

التصنيفات

કુરઆન ઉતરવાના કારણો, પ્રતિબંધિત પીણાં