إعدادات العرض
આશાઓને ખત્મ કરવાવાળી વસ્તુને ખૂબ જ યાદ કરો» અર્થાત્ મોતને
આશાઓને ખત્મ કરવાવાળી વસ્તુને ખૂબ જ યાદ કરો» અર્થાત્ મોતને
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «આશાઓને ખત્મ કરવાવાળી વસ્તુને ખૂબ જ યાદ કરો» અર્થાત્ મોતને.
[હસન] [رواه الترمذي والنسائي وابن ماجه]
الترجمة
العربية Tiếng Việt Bahasa Indonesia Nederlands Kiswahili English অসমীয়া සිංහල Magyar ქართული Hausa Română ไทย Português मराठी ភាសាខ្មែរ دری አማርኛ বাংলা Kurdî తెలుగు Македонски Tagalog Українська ਪੰਜਾਬੀ മലയാളംالشرح
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મૃત્યુને સતત યાદ કરવા પર પ્રોત્સાહિત કર્યા છે, કારણકે તે માનવીને આખિરતની યાદ અપાવે છે, અને તેના દિલમાં રહેલી દુનિયા પ્રત્યે મોહબ્બતને ખત્મ કરે છે, ખાસ કરીને હરામ (પ્રતિબંધિત) કાર્યોમાં.فوائد الحديث
મૃત્યુ દુનિયાની આશાઓને ખત્મ કરે છે, પરંતુ જ્યાં સુધી મોમિનની વાત છે, તો તે તેને આખિરતના આનંદ અને જન્નતની નેઅમતો તરફ લઇ જાય છે, જેમાં મહાન ભલાઈઓ છુપાયેલી છે.
મોતની યાદ અને તેના પછી આવનારી બાબતોમાં માફી, ગુનાહથી બચવા અને આખિરતની તૈયારી માટે છે.
التصنيفات
દુનિયાનો લોભની નિંદા