إعدادات العرض
દરેક નશીલા પદાર્થ હરામ (અવૈધ) છે.
દરેક નશીલા પદાર્થ હરામ (અવૈધ) છે.
અબૂ બુરદહ પોતાના પિતા અબૂ મૂસા અશઅરી રઝી અલ્લાહુ અન્હુ દ્વારા રિવાયત કરે છે: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમને યમન તરફ મોકલ્યા, તેમણે ત્યાં બનાવવામાં આવતા પીણાં વિશે સવાલ કર્યો, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «»તે શું છે?» અબૂ મૂસા રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: «બિતઅ અને મિઝર», અબૂ બુરદહને પૂછવામાં આવ્યું કે બિતઅ શું છે? તેમણે કહ્યું કે મધથી બનાવવામાં આવતી શરાબ, અને મિઝર જુવારથી તૈયાર કરવામાં આવતી શરાબ, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «દરેક નશીલા પદાર્થ હરામ છે» આ હદીષને ઇમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે. આ હદીષને ઇમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે, મુસ્લિમના શબ્દો આ પ્રમાણે છે: તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મને અને મુઆઝ રઝી અલ્લાહુ અન્હુને યમન તરફ મોકલ્યા, મેં પૂછ્યું: હે અલ્લાહના પયગંબર! અમારી ત્યાં જુવાર માંથી એક શરાબ બનાવવામાં આવે છે, જેને મિઝર કહેવામાં આવે છે, અને મધથી એક શરાબ બને છે, જેને બિતઅ કહેવામાં આવે છે, આપે જવાબ આપ્યો: «દરેક નશીલા પદાર્થ હરામ છે». મુસ્લિમની એક રિવાયતમાં છે: «જે વસ્તુ નશીલી હોય અને નમાઝથી ગાફેલ કરે તે હરામ છે». એક બીજી રિવાયતમાં છે: «અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને વાતચીત કરવાનો અંત વિપુલ અંદાજમાં થતો હતો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: હું તે દરેક નશીલા પદાર્થનો ઉપયોગ કરવા પર રોક લગાવું છું, જે નમાઝથી રોકે».
الترجمة
العربية Español አማርኛ English اردو Indonesia বাংলা Français Türkçe Русский Bosanski සිංහල हिन्दी 中文 فارسی Tiếng Việt Tagalog Kurdî Hausa Português മലയാളം తెలుగు Kiswahili தமிழ் မြန်မာ ไทย Deutsch پښتو অসমীয়া Shqip Nederlands Кыргызча नेपाली Lietuvių دری Српски тоҷикӣ Kinyarwanda Magyar Čeština Moore Malagasy Oromoo ಕನ್ನಡ Wolof Azərbaycan O‘zbek Українська ქართული Македонски ភាសាខ្មែរ Bambara ਪੰਜਾਬੀ मराठी Kirundi Kurmancî Bahasa Melayuالشرح
અબૂ મૂસા અશઅરી રઝી અલ્લાહુ અન્હુ વર્ણન કરી રહ્યા છે, અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમને યમન મોકલ્યા, તેમને ત્યાં બનવવામાં આવતા કેટલાક નશીલા પદાર્થ વિશે સવાલ કર્યો કે તે હલાલ છે કે હરામ? તો આપે તેના વિશે વધુ માહિતી લીધી. અબૂ મૂસા અશઅરી રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: તે પદાર્થ બિતઅ અર્થાત્ મધથી બનતી શરાબ અને મિઝર અર્થાત્ જુવારથી બનતી શરાબ છે. તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જેમને વિપુલ શબ્દો દ્વારા વાતચીત કરવાની ગુણવત્તા આપવામાં આવી હતી, કહ્યું: «દરેક કેફી પદાર્થ હરામ છે».فوائد الحديث
નબીઝ : તે પાણી જેમાં ખજૂર, મધ અથવા જુવાર વગેરે નાખવામાં આવે છે, જેના કારણે તેની અંદર તે વસ્તુઓની મીઠાશ અને સ્વાદ બને, ક્યારેક તો ખમીર (આથો) બની તેમાં નશો પણ આવી જાય છે.
આ હદીષ દરેક નશીલા પદાર્થ અને વસ્તુને હરામ ઠહેરાવવા બાબતે એક સિદ્ધાંતનું સ્થાન ધરાવે છે.
જરૂરી બાબત વિશે પૂછવાની મહત્ત્વતા.
સૌ પ્રથમ શરાબ પીને નમાઝ પઢવા પર રોક લગાવવામાં આવી, જ્યારે કેટલાક મુહાજિર સહાબાઓએ નમાઝ પઢી અને કુરઆન પઢવામાં ભૂલ કરી, તો આ આયત ઉતરી: {હે ઈમાનવાળાઓ! જ્યારે તમે નશામાં હોય તો નમાઝની નજીક પણ ન જાઓ, જ્યાં સુધી પોતાની વાતને સમજવા ન લાગો} [અન્ નિસા: ૪૩], તે સમયે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના આદેશોનું એલાન કરનાર સહાબા એલાન કરતા કે કોઈ વ્યક્તિ શરાબ પીને મસ્જિદમાં નમાઝ માટે ન આવે, ત્યારબાદ સંપૂર્ણપણે શરાબને હરામ કરતા અલ્લાહ તઆલાએ કહ્યું: {હે ઈમાનવાળાઓ! વાત એ જ છે કે શરાબ, જુગાર, સ્થળ અને શગુન કાઢવા માટે પાસાના તીર, આ બધું જ ખરાબ વાતો અને શેતાની કૃત્ય છે, તેનાથી તદ્દન અળગા રહો, જેથી તમે સફળ બનો, (૯૦), શૈતાન તો એવું ઇચ્છે છે કે શરાબ અને જુગાર વડે તમારી વચ્ચે શત્રુતા અને કપટ ભરી દે અને તમને અલ્લાહ તઆલાના ઝિકર અને નમાઝથી રોકી રાખે, તો શું તમે (આ વસ્તુઓથી) રુકી જવાવાળા છો?} [અલ્ માઇદહ: ૯૦-૯૧]
અલ્લાહ તઆલાએ શરાબને એટલા માટે હરામ કરી કારણકે તેમાં મોટા મોટા નુકસાન છુપાયેલા છે.
શરાબને હરામ કરવાનું એક કારણ તે નશીલો પદાર્થ છે, એટલા માટે નબીઝમાં નશો આવી જાય. તો તે હરામ છે, અને જો નશો ન હોય તો હલાલ ગણવામાં આવશે.
