إعدادات العرض
ત્રણ સમય એવા છે જેમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અમને નમાઝ પઢવા અને પોતાના મૃતકોને દફન કરવાથી રોકતા હતા
ત્રણ સમય એવા છે જેમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અમને નમાઝ પઢવા અને પોતાના મૃતકોને દફન કરવાથી રોકતા હતા
ઉકબા બિન આમિર અલ્ જુહની રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: ત્રણ સમય એવા છે જેમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અમને નમાઝ પઢવા અને પોતાના મૃતકોને દફન કરવાથી રોકતા હતા: જ્યારે સુર્ય નીકળવા લાગે, અહીં સુધી કે તે સંપૂર્ણ રીતે ઊંચો થઈ જાય, જ્યારે સુર્ય આકાશમાં વચ્ચે વચ હોય અહીં સુધી કે તે ઢળવા લાગે, જ્યારે સૂર્ય ડૂબવા લાગે અહીં સુધી કે તે સંપૂર્ણ ડૂબી જાય.
الشرح
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દિવસના ત્રણ સમયોમાં નફિલ નમાઝ પઢવાથી અને કબરમાં મૃતકોને દફન કરવાથી રોક્યા છે: પહેલો સમય: જ્યારે સુર્ય ઊગવા લાગે, આ ત્યારે થાય છે જ્યારે સુર્ય પહેલી વખત એક ભાલા બરાબર ઉપર આવે છે, અને તેનો સમય અંદાજિત રીતે પંદર મિનિટ જેટલો હોય છે. બીજો સમય: જ્યારે સુર્ય મધ્ય આકાશમાં હોય, અને તેનો પડછાયો પૂર્વ અથવા પશ્ચિમ તરફ ન હોય, અને જ્યાં સુધી તે મધ્ય આકાશ માંથી પશ્ચિમ તરફ ઢળવાનું શરૂ ન કરે, અને જ્યારે તેનો પડછાયો પૂર્વ તરફ દેખાવા ન લાગે ત્યારબાદ ઝુહરની નમાઝનો સમય શરૂ થાય છે, અને તે થોડોક જ સમય હોય છે, અંદાજિત રીતે તે પાંચ મિનિટનો સમય હોય છે. ત્રીજો સમય: જ્યારે સુર્ય ઢળવા લાગે, અહીં સુધી કે તે સંપૂર્ણ રીતે ડૂબી જાય.فوائد الحديث
આ હદીષ અને આ સિવાય અન્ય હદીષો દ્વારા જાણવા મળે છે કે કેટલાક સમયો એવા છે જેમાં નમાઝ પઢવા પર રોક છે, તે નીચે મુજબ છે: પહેલો સમય: ફજર થી સૂર્યોદય સુધી, બીજો સમય: જ્યારે સુર્ય ઊગેલો હોય, અહીં સુધી કે તે એક ભાલા બરાબર જેટલો ઊંચો ન થાય જેમકે આંખ દ્વારા અંદાજો થાય છે, જેનો સમય અંદાજિત પંદર મિનિટ જેટલો હોય છે. ત્રીજો સમય: જ્યારે સુર્ય ઊંચો હોય, અહીં સુધી કે તે ઢળવા લાગે, આ તે સમયે છે જ્યારે તેનો પૂર્વ અથવા પશ્ચિમ તરફ છાંયડો હોતો નથી, જેનો અંદાજો કેટલાક લોકોના માટે પાંચ મિનિટ જેટલો હોય છે. ચોથો સમય: અસરની નમાઝ પછીથી લઈને સૂર્યાસ્ત સુધી. પાંચમો સમય: જ્યારે સુર્ય ડૂબવા માટે પીળો થવા લાગે.
આ પાંચ સમયોમાં જે નમાઝ પઢવાથી રોકવામાં આવ્યા છે તેમાં ફરજ નમાઝો અને અમુક કારણોસર પઢવામાં આવતી નમાઝોનો સમાવેશ થતો નથી.
હદીષમાં વર્ણન કરેલ પ્રતિબંધિત સમયોમાં ઇરાદાપૂર્વક દફનવિધિ કરવામાં વિલંબ કરવાથી રોક્યા છે, જ્યારે કે દિવસ અને રાત દરમિયાન કોઈ પણ સમયે દફન કરવાની પરવાનગી આપવામાં આવી છે.
આ સમયોમાં નમાઝ ન પઢવાની મનાઈની હિકમત: મૂળ એ કે મુસલમાન અલ્લાહના આદેશોને આધીન રહે, અને ઈબાદતના પ્રતિબંધિત તરિકાઓથી બચે, અને ત્યાં ઈબાદત કરવાનું ન છોડવું જોઈએ જ્યાં સુધી તે તેના પ્રતિબંધની હિકમત વિષે જાણી ન લે, પરંતુ તેના બદલે તેણે તેનું અનુસરણ કરવું જોઈએ, જેમકે બીજી અન્ય હદીષોમાં તેનો આદેશ વર્ણન કરવામાં આવ્યો છે: ૧- બપોરનો સમય, સૂરજ ઢળતા પહેલાનો સમય, તે સમયે જહન્નમમાં આગ સળગાવવામાં આવે છે, ૨- સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે નમાઝ ન પઢવાની હિકમત તે કાફિરો માફક છે, કારણકે તેઓ સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે સુર્ય નમસકાર કરે છે, ૩- ફજર પછી થી લઇ સૂર્યોદય સુધી અને અસરની નમાઝ પછી થી લઇ સૂર્યાસ્ત સુધી ના સમયે નમાઝ ન પઢવાની હિકમત, તે દ્વાર બંધ કરવાનો સમય છે, અહીં સુધી કે કાફિરોનું અનુસરણ બંધ થઈ જાય, અને મુસલમાનો તેમના શિર્કમાં તેમનું અનુસરણ ન કરે, કારણકે તેઓ સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે સૂરજને સિજદો કરે છે.
التصنيفات
જે સમયે નમાઝ પઢવા પર રોક લગાવી છે.