કેટલાય વિખરાયેલા વાળવાળા, દરવાજેથી ધૃતકારેલા લોકો, જો અલ્લાહ પર કોઈ સોગંદ લઈ લે, તો અલ્લાહ તેમની સોગંદની લાજ રાખી…

કેટલાય વિખરાયેલા વાળવાળા, દરવાજેથી ધૃતકારેલા લોકો, જો અલ્લાહ પર કોઈ સોગંદ લઈ લે, તો અલ્લાહ તેમની સોગંદની લાજ રાખી લે છે

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «કેટલાય વિખરાયેલા વાળવાળા, દરવાજેથી ધૃતકારેલા લોકો, જો અલ્લાહ પર કોઈ સોગંદ લઈ લે, તો અલ્લાહ તેમની સોગંદની લાજ રાખી લે છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે કેટલાય લોકો એવા છે, જેમના વાળ વિખરાયેલા હોય છે, વાળમાં ધૂળ ચોંટેલી હોય છે, જેઓ ન તો તેલ લગાવે છે, ન તો તેને ધોવે છે, લોકો પાસે તેમનું કઈ પણ સ્થાન નથી હોતું અને તેમને દરવાજા પાસેથી જ ધૃતકારી દેવામાં આવે છે, અને તેમની તિરસ્કારી નકારવામાં આવે છે; પરંતુ જો તેઓ કોઈ વાત બાબતે સોગંદ લઈ લે, તો અલ્લાહ તેમના સન્માનમાં તેને પૂરી કરે છે, અને તે નિશ્ચિત પૂરી કરશે કે તેમની વિનંતી મંજૂર કરવામાં આવી છે, આ અલ્લાહની કૃપા અને તેની પાસે તેમના સન્માનના કારણે.

فوائد الحديث

અલ્લાહ માનવીઓના જાહેર ચહેરાઓને નથી જોતો, પરંતુ તે તેમના દિલ અને કાર્યોને જુએ છે.

માનવીએ પોતાના શરીર અને વસ્ત્રો કરતાં પોતાના કાર્યો અને દિલની ચોખ્ખાઈ પર ધ્યાન આપવું જોઈએ.

અલ્લાહ સામે આજીજી અને વિનમ્રતા અપનાવવી તે દુઆ કબૂલ થવાનો એક સ્ત્રોત છે, તેથી અલ્લાહ પોતાના છૂપાયેલા સદાચારી બંદાઓની સોગંદને પૂરી કરે છે.

લોકો માટે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની શિક્ષાઓની સ્પષ્ટતા; જેથી કોઈ પણ વ્યક્તિ અન્યને તુચ્છ ન સમજે.

التصنيفات

નેક અમલ કરવાની મહ્ત્વતા