હે આયશા! ખરેખર અલ્લાહ દયાળુ છે અને દરેક વસ્તુમાં દયાને પસંદ કરે છે, અને તે દયાના કારણે તે દરેક વસ્તુ આપે છે જે…

હે આયશા! ખરેખર અલ્લાહ દયાળુ છે અને દરેક વસ્તુમાં દયાને પસંદ કરે છે, અને તે દયાના કારણે તે દરેક વસ્તુ આપે છે જે કઠિનતા અપનાવવા પર નથી આપતો અને ન તો તેના સિવાય અન્ય કોઈ વસ્તુ પર આપે છે

મોમિનોની માતા અને અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પત્ની આયશા રઝી અલ્લાહુ અન્હા વર્ણન કરે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હે આયશા! ખરેખર અલ્લાહ દયાળુ છે અને દરેક વસ્તુમાં દયાને પસંદ કરે છે, અને તે દયાના કારણે તે દરેક વસ્તુ આપે છે જે કઠિનતા અપનાવવા પર નથી આપતો અને ન તો તેના સિવાય અન્ય કોઈ વસ્તુ પર આપે છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે - મુત્તફકુન્ અલયહિ]

الشرح

આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ આયશા રઝી.ને નરમી કરવા પર પ્રોત્સાહન આપી રહ્યા છે, અને એ કે અલ્લાહ પોતાના બંદા પ્રત્યે વિનમ્ર, સહનશીલ છે, તે તેમના પર નમ્રતાનો ઈરાદો રાખે છે અને કઠોરતાનો ઈરાદો રાખતો નથી, તે તેમની ક્ષમતા કરતા વધુ બોજ તેમના પર નાખતો નથી, તે પોતાના બંદાઓને નમ્ર અને હળવાશથી લેવાનું પસંદ કરે છે. તેથી તેણે અસંસ્કારી કે કઠોર ન હોવું જોઈએ, અને આ દુનિયામાં દયા અને સૌમ્યતા દ્વારા અલ્લાહ સુંદર પ્રશંસા, માંગણીઓની પ્રાપ્તિ અને લક્ષ્યોની સરળતા આપે છે. આખિરતમાં, હિંસા, ઉગ્રતા અને કઠોરતા માટે આપવામાં આવતા પુરસ્કાર કરતાં પણ વધુ મોટો બદલો છે. દયા પોતાની સાથે એ બધું લાવે છે, જે બીજી કોઈ વસ્તુ સાથે નથી લાવતું.

فوائد الحديث

આ હદીષમાં દયા અપનાવવા ને કઠોરતા ન અપનાવવા પર પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.

ઉમદા અખલાકમાં નમ્રતાનો ઉચ્ચ દરજ્જો.

દયાળુ વ્યક્તિ અલ્લાહ પાસે વખાણને પાત્ર અને ભવ્ય સવાબનો હકદાર બને છે.

સિન્દીએ કહ્યું : કઠોરતા એ દયાની વિરુદ્ધ છે, જેનો અર્થ એ છે કે જે કોઈ દયા અને નમ્રતાથી લોકોને માર્ગદર્શન તરફ બોલાવે છે તે હિંસા અને ગંભીરતાથી બોલાવનાર કરતાં વધુ સારો તરીકો અપનાવે છે, જો પરિસ્થિતિ બંને સ્વીકારે. નહિંતર, પરિસ્થિતિ જે સ્વીકારે છે તે જરૂરી છે, અને અલ્લાહ પરિસ્થિતિનું સત્ય સારી રીતે જાણે છે.

التصنيفات

પ્રસંશનીય અખલાક