ખરેખર આ દુનિયા શાપિત છે, અને તેમાં રહેલી દરેક વસ્તુ પણ શાપિત છે, અલ્લાહના નામના સ્મરણ સિવાય, અથવા જે તેના બરાબર છે,…

ખરેખર આ દુનિયા શાપિત છે, અને તેમાં રહેલી દરેક વસ્તુ પણ શાપિત છે, અલ્લાહના નામના સ્મરણ સિવાય, અથવા જે તેના બરાબર છે, અને આલિમ અને વિદ્યાર્થીઓ સિવાય

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા: «ખરેખર આ દુનિયા શાપિત છે, અને તેમાં રહેલી દરેક વસ્તુ પણ શાપિત છે, અલ્લાહના નામના સ્મરણ સિવાય, અથવા જે તેના બરાબર છે, અને આલિમ અને વિદ્યાર્થીઓ સિવાય».

[હસન] [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે દુનિયા અને તેમાં રહેલી દરેક વસ્તુઓ અલ્લાહ પાસે શાપિત, નિંદનીય, ત્યજી દીધેલી, ધૃતકારેલી તેમજ છોડી દીધેલી છે અને ન તો વખાણને પાત્ર છે; કારણકે દુનિયા અને તેમાં રહેલી દરેક વસ્તુ ઉચ્ચ અલ્લાહથી વિચલિત અને દૂર કરી દે છે, અલ્લાહના નામનું સ્મરણ, અને જે તેની સમાન હોય, અથવા તેમાંથી જ હોય, અથવા જેને અલ્લાહ પસંદ કરે તે સિવાય, અથવા આલિમ અથવા વિદ્યાર્થીઓ સિવાય, જે કુરઆન અને હદીષનું ઇલ્મ શીખે છે અથવા લોકોને શીખવાડે છે.

فوائد الحديث

દુનિયાની દરેક વસ્તુને સામાન્ય રીતે શાપિત ઠેરાવી જાઈઝ નથી; અન્ય બીજી હદીષો તેની પુષ્ટિ કરે છે, પરંતુ જે વસ્તુ અલ્લાહથી દૂર કરી દે અથવા વિચલિત કરી દે તેને શાપિત ઠેરાવી શકાય છે.

અલ્લાહના નામનું સ્મરણ અને તેમાં સહાય કરતી દરેક વસ્તુ સિવાય જે કઈ પણ દુનિયામાં છે, તે રમતગમત અને મનોરંજન છે.

જ્ઞાન, વિદ્વાનો અને વિદ્યાર્થીઓની મહત્ત્વતાનું વર્ણન.

ઈમામ ઈબ્ને તૈય્મિય્યહ રહિમહુલ્લાહએ કહ્યું: દુનિયાની જે કઈ પણ વસ્તુની નિંદા કરવામાં આવે તે કા તો હરામ હોય છે, અથવા તે હલાલ, જેને મુકાબલો કરતા અથવા ગૌરવ ખાતર અથવા જે દેખાડો કરવાની નિયતે પ્રાપ્ત કરવામાં આવે, તે બુદ્ધિશાળી લોકો માટે નિંદનીય વસ્તુ છે.

التصنيفات

દુનિયાનો લોભની નિંદા