إعدادات العرض
તે હસ્તીની કસમ! જેના હાથમાં મારા પ્રાણ છે, તમે પણ તમારા પાછલા લોકોના માર્ગે ચાલવા લાગશો
તે હસ્તીની કસમ! જેના હાથમાં મારા પ્રાણ છે, તમે પણ તમારા પાછલા લોકોના માર્ગે ચાલવા લાગશો
અબૂ વાકિદ અલ્ લૈષી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: નબી ﷺ જ્યારે હુનૈનના યુદ્ધ માટે નીકળ્યા તો કાફિરોના એક એવા વૃક્ષ પાસેથી પસાર થયા જેને તેઓ "ઝાતે અનવાત"ના નામથી ઓળખતા હતા, અને તે વૃક્ષ પર પોતાના હથિયારો લટકાવતા હતા, તો સહાબાઓએ કહ્યું: હે અલ્લાહના રસૂલ ! અમને પણ એક "ઝાતે અનવાત" જેવું વૃક્ષ બનાવી આપો જેવુ કે તેમની પાસે છે, તો નબી ﷺ એ કહ્યું: સુબ્હાનલ્લાહ (અલ્લાહ પાક છે) ! આ તેજ પ્રકારની વાત છે, જે મુસા અલૈહિસ્ સલામની કોમે તેમને કહી હતી: {હે મૂસા ! અમારા માટે પણ એક ઇલાહ આવી જ રીતે નક્કી કરી દો, જેવી રીતે આ લોકોએ નક્કી કર્યા છે} [અલ્ અઅરાફ: 138] તે હસ્તીની કસમ! જેના હાથમાં મારા પ્રાણ છે, તમે પણ તમારા પાછલા લોકોના માર્ગે ચાલવા લાગશો».
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Français Bahasa Indonesia Русский Tagalog Türkçe اردو 中文 हिन्दी ئۇيغۇرچە Hausa Kurdî Português සිංහල Svenska Yorùbá Tiếng Việt Kiswahili پښتو অসমীয়া دری Кыргызча or नेपाली Čeština Oromoo Română Nederlands Soomaali తెలుగు മലയാളം Српски Kinyarwanda ಕನ್ನಡ Lietuvių Wolof Українська ქართული Magyar Moore Shqip Македонски Azərbaycan Malagasyالشرح
નબી ﷺ હુનૈન તરફ નીકળ્યા અને હુનૈન તાઈફ અને મક્કાહ વચ્ચેની એક ગુફા છે, અને નબી ﷺ સાથે કેટલાક એવા સહાબાઓ હતા, જે નજીકમાં જ ઇસ્લામ લાવ્યા હતા, તેઓ એક વૃક્ષ પાસેથી પસાર થયા જેને "ઝાતે અનવાત" કહેવામાં આવતું હતું, અર્થાત્ "ઝાતે મુઅલ્લકાત" (લટકાવવાવાળું), અને કાફિરો તેનું પૂજા કરતાં હતા અને બરકત પ્રાપ્ત કરવા માટે પોતાના હથિયારો તેના પર લટકાવતાં હતા, તો તે સહાબાઓ નબી ﷺ પાસે પણ માંગવા લાગ્યા કે તેમની માફક અમારા માટે પણ એક વૃક્ષ બનાવી આપો, જેના પર અમે પોતાના હથિયારો લટકાવીએ અને તેના દ્વારા બરકત પ્રાપ્ત કરીએ; કારણકે તેવો એવું સમજ્યા કે આ કાર્ય જાઈઝ છે, તો નબી ﷺ એ આ વાતને નકારતા અલ્લાહની પવિત્રતા વર્ણન કરી, અને જણાવ્યું કે તમારી વાત પણ મુસા અલૈહિસ્ સલામની કોમના લોકો જેવી વાત છે: {હે મૂસા ! અમારા માટે પણ એક ઇલાહ આવી જ રીતે નક્કી કરી દો, જેવી રીતે આ લોકોએ નક્કી કર્યા છે}, બસ જ્યારે મુસા અલૈહિસ્ સલામની કોમન લોકોએ કાફિરોને મૂર્તિપૂજા કરતાં જોયા તો તેમણે પણ પોતાના માટે એક મૂર્તિ મૂકવાનું કહ્યું જેમકે કાફિરો પાસે હતી, અને આ તેમના તરીકાનું અનુસરણ છે, ફરી નબી ﷺ એ ચેતવણી આપતા કહ્યું કે આ કોમ પણ યહૂદીઓ અને નસ્રાનીઓનું અનુસરણ કરશે અને તે જ કાર્ય કરશે જે તે લોકોએ કર્યું હતું.فوائد الحديث
માનવી ઘણી વાર એવું સમજતો હોય છે કે આ વસ્તુ તેને અલ્લાહની નજીક કરી દેશે પરંતુ તે વસ્તુ તેને અલ્લાહથી દૂર કરી દે છે.
મુસલમાન માટે જરૂરી છે કે જયારે કોઈ એવી વાત સાંભળે જે દીનમાં ન હોય અને તેના પર તેને આશ્ચય થાય, તો તે અલ્લાહની પવિત્રતા (સુબ્હાનઅલ્લાહ) અને મહાનતા (અલ્લાહુ અકબર) કહે.
વૃક્ષો અને પથ્થરો જેવી વસ્તુઓથી બરકત પ્રાપ્ત કરવી એ શિર્ક માંથી છે, અને બરકત ફક્ત એક અલ્લાહ પાસેથી જ માંગવામાં આવે.
મૂર્તિપૂજાનું કારણ એ છે તેની મહિમા કરવી, તેની સમક્ષ સમર્પિત થવું અને તેની પાસેથી બરકત પ્રાપ્ત કરવી.
શિર્ક તરફ લઇ જતાં દરેક માર્ગને રોકવા માટે પ્રયત્નો કરવા જરૂરી છે.
કુરઆન અને હદીષમાં જે કઈ પણ યહૂદીઓ અને નસારાની નિંદા કરવામાં આવી છે, તે આપણાં માટે ચેતવણી છે.
આ હદીષમાં અજ્ઞાનતાના સમયના લોકો, યહૂદીઓ અને નસારાનું અનુસરણ કરવાથી રોક્યા છે, સિવાય એ કે તેમના કોઈ કાર્ય પર આપણને કુરઆન હદીષમાં કોઈ દલીલ મળી આવે.
التصنيفات
તૌહીદે ઉલુહિયત