إعدادات العرض
જે વ્યક્તિ (આ કલિમો) કહશે: "સુબ્હાનલ્લાહિલ્ અઝીમ વ બિહમ્દિહિ", અર્થ: (અલ્લાહ તેની મહાનતા સાથે પવિત્ર છે અને તેના માટે…
જે વ્યક્તિ (આ કલિમો) કહશે: "સુબ્હાનલ્લાહિલ્ અઝીમ વ બિહમ્દિહિ", અર્થ: (અલ્લાહ તેની મહાનતા સાથે પવિત્ર છે અને તેના માટે જ પ્રસંશા છે), તો તેનાં માટે જન્નતમાં ખજૂર નું એક ઝાડ ઉગાડવામાં આવશે
જાબિર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિ (આ કલિમો) કહશે: "સુબ્હાનલ્લાહિલ્ અઝીમ વ બિહમ્દિહિ", અર્થ: (અલ્લાહ તેની મહાનતા સાથે પવિત્ર છે અને તેના માટે જ પ્રસંશા છે), તો તેનાં માટે જન્નતમાં ખજૂર નું એક ઝાડ ઉગાડવામાં આવશે».
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Français Bahasa Indonesia Русский Tagalog Türkçe اردو 中文 हिन्दी Hausa Kurdî Tiếng Việt অসমীয়া Nederlands Kiswahili አማርኛ සිංහල ไทย Magyar ქართულიالشرح
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જે વ્યક્તિ આ ઝિક્ર પઢશે: ("સુબ્હાનલ્લાહ" અલ્લાહ પવિત્ર છે) તે અત્યંત પવિત્ર છે ("અલ્ અઝીમ" મહાન છે) તેની ઝાત, તેના ગુણો અને કાર્યોમાં અત્યંત મહાન, ("વ બિહમ્દિહિ" તેના માટે જ પ્રશંસા છે) ગુણોની સંપૂર્ણતાનો એકરાર; જેટલી વાર તે આ ઝિકર પઢશે એટલી વાર જન્નતમાં એક ખજૂરનું ઝાડ રોપવામાં આવશે.فوائد الحديث
અલ્લાહના ઝિક્ર કરવા તરફ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, તે ઝિક્ર માંથી છે: તેની તસ્બીહ (પવિત્રતા વર્ણન કરવી) અને તહમીદ (વખાણ કરવા).
જન્નત અત્યંત વિશાળ છે, તેમાં રોપાણ અલ્લાહની તસ્બીહ અને તહમીદ છે, તે અલ્લાહની ભવ્ય કૃપા અને નેઅમત છે.
આ હદીષમાં અન્ય ઝાડ કરતા ખજૂરના ઝાડનો ઉલ્લેખ કરવામાં આવ્યો, કારણકે ખજૂરનું ઝાડ ખૂબ ફાયદાકારક હોય છે, તેનું ફળ ખૂબ સારું હોય છે; એટલા માટે અલ્લાહ તઆલાએ કુરઆન મજીદમાં મોમિન લોકોના ઇમાનનું ઉદાહરણ ખજૂરના ઝાડ વડે આપ્યું છે.
التصنيفات
અલ્લાહનો ઝિકર કરવાના ફાયદા