إعدادات العرض
જે વ્યક્તિ અઝાન કહેનારની અઝાન સાંભળી કહે "અશ્હદુ અલ્લા ઇલાહ ઇલ્લલ્લાહુ, વહદહુ લા શરીક લહુ, વ અન્ન મુહમ્મદન્…
જે વ્યક્તિ અઝાન કહેનારની અઝાન સાંભળી કહે "અશ્હદુ અલ્લા ઇલાહ ઇલ્લલ્લાહુ, વહદહુ લા શરીક લહુ, વ અન્ન મુહમ્મદન્ અબ્દુહુ વ રસૂલુહુ, રઝીતુ બિલ્લાહી રબ્બવ વબિલ્ ઇસ્લામિ દીના વબિ મુહમ્મદિન્ નબિય્યા" (હું ગવાહી આપું છું કે અલ્લાહ સિવાય કોઈ ઈબાદતને લાયક નથી, તે એકલો છે, તેનો કોઈ ભાગીદાર નથી, અને એ પણ સાક્ષી આપું છું કે મુહમ્મદ ﷺ અલ્લાહના બંદા અને તેના રસૂલ છે, હું રાજી છું અલ્લાહના પાલનહાર હોવાથી, અને ઇસ્લામના દીન હોવાથી, અને મુહમ્મદ ﷺના નબી હોવાથી, તો તેના ગુનાહ માફ કરી દેવામાં આવે છે
સઅદ બિન અબી વકકાસ રઝી અલ્લાહુ અન્હુ વર્ણન કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિ અઝાન કહેનારની અઝાન સાંભળી કહે "અશ્હદુ અલ્લા ઇલાહ ઇલ્લલ્લાહુ, વહદહુ લા શરીક લહુ, વ અન્ન મુહમ્મદન્ અબ્દુહુ વ રસૂલુહુ, રઝીતુ બિલ્લાહી રબ્બવ વબિલ્ ઇસ્લામિ દીના વબિ મુહમ્મદિન્ નબિય્યા" (હું ગવાહી આપું છું કે અલ્લાહ સિવાય કોઈ ઈબાદતને લાયક નથી, તે એકલો છે, તેનો કોઈ ભાગીદાર નથી, અને એ પણ સાક્ષી આપું છું કે મુહમ્મદ ﷺ અલ્લાહના બંદા અને તેના રસૂલ છે, હું રાજી છું અલ્લાહના પાલનહાર હોવાથી, અને ઇસ્લામના દીન હોવાથી, અને મુહમ્મદ ﷺના નબી હોવાથી, તો તેના ગુનાહ માફ કરી દેવામાં આવે છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]
الترجمة
العربية Bosanski English فارسی Français Bahasa Indonesia Русский Türkçe اردو 中文 हिन्दी Español Hausa Kurdî Português සිංහල Svenska Yorùbá ئۇيغۇرچە Tiếng Việt Kiswahili پښتو অসমীয়া دری Кыргызча or Čeština नेपाली Oromoo Română Nederlands Soomaali తెలుగు ไทย മലയാളം Српски Kinyarwanda ಕನ್ನಡ Lietuvių Wolof ქართული Magyar Moore Українська Македонски Azərbaycan Shqip አማርኛالشرح
આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે જે વ્યક્તિ મુઅઝ્ઝિન અઝાન સાંભળી કહે: "અશ્હદુ અલ્લા ઇલાહ ઇલ્લલ્લાહુ, વહદહુ લા શરીક લહુ" (હું ગવાહી આપું છું કે અલ્લાહ સિવાય કોઈ ઈબાદતને લાયક નથી, તે એકલો છે, તેનો કોઈ ભાગીદાર નથી), અર્થાત્: તે તે વાતનો એકરાર કરે છે અને સ્વીકારે છે અને જણાવે છે કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી, અને તેના સિવાયના દરેક ઇલાહ ખોટા છે, "વ અન્ન મુહમ્મદન્ અબ્દુહુ વ રસૂલુહુ" (અને એ પણ સાક્ષી આપું છું કે મુહમ્મદ ﷺ અલ્લાહના બંદા અને તેના રસૂલ છે), અર્થાત્: નબી ﷺ અલ્લાહના એક બંદા છે, તેમની ઈબાદત કરવામાં નથી આવતી, અને તે એક પયગંબર છે, જે જૂઠ્ઠુ નથી બોલતા, "રઝીતુ બિલ્લાહી રબ્બન" (હું રાજી છું અલ્લાહના પાલનહાર હોવાથી) અર્થાત્: અલ્લાહની રુબૂબિય્યત (પાલનહાર હોવામાં), ઉલૂહિય્યત (ઇલાહ હોવામાં) અને અસ્મા વ સિફાત (પવિત્ર નામો અને ગુણોમાં). "વબિ મુહમ્મદિન્ નબિય્યા" (અને મુહમ્મદ ﷺ ના નબી હોવાથી) અર્થાત્: તે દરેક વસ્તુ સાથે જેની સાથે તેમને મોકલવામાં આવ્યા, અને જે તેમણે આપણાં સુધી પહોંચાડ્યું, "વ વબિલ્ ઇસ્લામિ" (અને ઇસ્લામથી) અર્થાત્: ઇસ્લામના દરેક આદેશોથી, "દીના" (દીન હોવા પર) અર્થાત્: અકીદો અને માન્યતાથી, "તેના ગુનાહ માફ કરી દેવામાં આવે છે" અર્થાત્: નાના ગુનાહો માંથી.فوائد الحديث
અઝાન સાંભળી આ દુઆ પઢવી ગુનાહો માફ કરવાના સ્ત્રોતો માંથી છે.
التصنيفات
અઝાન અને ઇકમત