إعدادات العرض
ન તો આપ અપશબ્દો બોલતા હતા ન તો આપ ગંદી વાત કહેતા અને ન તો આપ કોઈ ખરાબ કામમાં પડતા, બજારમાં ન તો રાડો પાડી વાત કરતા હતા…
ન તો આપ અપશબ્દો બોલતા હતા ન તો આપ ગંદી વાત કહેતા અને ન તો આપ કોઈ ખરાબ કામમાં પડતા, બજારમાં ન તો રાડો પાડી વાત કરતા હતા અને ન તો આપ બુરાઈનો બદલો બુરાઈથી આપતા હતા પરંતુ આપ માફી અને દરગુજરથી કામ લેતા હતા
અબૂ અબ્દુલ્લાહ અલ્ જદલી રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હાને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના અખ્લાક વિશે સવાલ કર્યો, તો તેમણે જવાબ આપ્યો: ન તો આપ અપશબ્દો બોલતા હતા ન તો આપ ગંદી વાત કહેતા અને ન તો આપ કોઈ ખરાબ કામમાં પડતા, બજારમાં ન તો રાડો પાડી વાત કરતા હતા અને ન તો આપ બુરાઈનો બદલો બુરાઈથી આપતા હતા પરંતુ આપ માફી અને દરગુજરથી કામ લેતા હતા.
الشرح
આયશા રઝી અલ્લાહુ અન્હાએ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના અખ્લાક વિશે સવાલ કરવામાં આવ્યો, તેમણે કહ્યું: તેમના કાર્યો અને વાતો અશ્લીલ અને ખરાબ ન હતી, ન તો તેઓ ખરાબ વાત અથવા કાર્યોમાં સાથ આપતા હતા ન તો બજારમાં જોર જોરથી રાડો પાડતા અને ન તો બુરાઈનો બદલો બુરાઈ વડે લેતા, પરંતુ બુરાઈનો બદલો સારી રીતે લેતા, આંતરિક રીતે માફ કરી દેતા અને જાહેરમાં મોઢું ફેરવી લેતા.فوائد الحديث
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ઉચ્ચ અખ્લાક અને ખરાબ અખ્લાકથી દૂરીનું વર્ણન.
સારા અખ્લાક અપનાવવા તરફ પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને ખરાબ અખ્લાકથી દૂર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ખરાબ વાતો તેમજ અશ્લિલ વાક્યો બોલાવાની સખત નિંદા કરવામાં આવી છે.
અવાજ ઊંચો કરી રાડો પાડવી પણ નિંદનીય કાર્ય માંથી છે.
માફ કરી અને દરગુજર કરી બુરાઈનો બદલો આપવા તરફ પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.