જ્યારે અલ્લાહ તઆલા કયામતના દિવસે આગલા અને પાછલા દરેક લોકોને ભેગા કરશે, તો દરેક વચનભંગ કરનાર માટે એક ઝંડો ઊંચો…

જ્યારે અલ્લાહ તઆલા કયામતના દિવસે આગલા અને પાછલા દરેક લોકોને ભેગા કરશે, તો દરેક વચનભંગ કરનાર માટે એક ઝંડો ઊંચો કરવામાં આવશે, અને કહેવામાં આવશે: આ ફલાણા અને ફલાણાના પુત્રના વચનભંગનું (નિશાન) છે

ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જ્યારે અલ્લાહ તઆલા કયામતના દિવસે આગલા અને પાછલા દરેક લોકોને ભેગા કરશે, તો દરેક વચનભંગ કરનાર માટે એક ઝંડો ઊંચો કરવામાં આવશે, અને કહેવામાં આવશે: આ ફલાણા અને ફલાણાના પુત્રના વચનભંગનું (નિશાન) છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે ખરેખર અલ્લાહ તઆલા કયામતના દિવસે દરેક આગલા અને પાછલા લોકોને તેમનો હિસાબ લેવા માટે ભેગા કરશે, દરેક વિદ્રોહી, જેણે અલ્લાહ અથવા લોકો સાથે કરેલ વચનમાં વિશ્વાસઘાત કાર્યો હશે, તો એક નિશાની દ્વારા તેમના વિશ્વાસઘાતને જાહેર કરવામાં આવશે, અને તે દિવસે તેમને આ રીતે બોલાવવામાં આવશે: આ ફલાણા અને ફલાણાના પુત્રનો વિશ્વાસઘાત છે; જેથી મહેશરના લોકો સામે તેમના ખરાબ કૃત્યોને જાહેર કરવામાં આવે.

فوائد الحديث

ધોખો આપવો હરામ છે, અને તે કબિરહ ગુનાહ માંથી છે; કારણકે તેના વિષે સખત ચેતના આપવામાં આવી છે.

વિશ્વાસઘાત જેના વિષે સખત ચેતવણી આપવામાં આવી છે, તેમાં તે દરેક કાર્યનો સમાવેશ થાય છે, જેનો સબંધ લોકોના પ્રાણ, આબરૂ, માલ, અને ભેદ સાથે હોય, જેના વિષે વિશ્વાસઘાત થતો હોય અને જેના દ્વારા ભરોસો તૂટતો હોય.

ઈમામ કુર્તુબી રહિમહુલ્લાહએ કહ્યું: આ સૂચન અરબો માટે છે, જે રીતે તેઓ કરતાં હતા; કારણકે તેઓ વફાદારી માટે સફેદ ઝંડો અને વિશ્વાસઘાત માટે કાળો ઝંડો ઉઠાવતા હતા, જેથી તેઓ વિશ્વાસઘાત કરનાર પર આરોપ લગાવી શકે અને તેને અપમાનિત કરી શકે, જેથી હદીષનો અર્થ એ છે વિશ્વાસઘાત કરનાર સાથે આ પ્રમાણે જ થશે; જેથી કયામતના દિવસે તેના કાર્યને લોકો સામે લાવવામાં આવે અને આ પ્રકારના લોકોને અપમાનિત કરવામાં આવે.

ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષ દ્વારા જાણવા મળ્યું કે કયામતના દિવસે લોકોને તેમના બાપ દાદાના નામ દ્વારા પોકારવામાં આવશે; કારણકે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: "આ ફલાણા અને ફલાણાનો પુત્રનો વિશ્વાસઘાત છે".

التصنيفات

નિંદનીય અખલાક, જિહાદ કરવા માટેના આદાબ