મારી સમક્ષ જન્નત અને જહન્નમ રજૂ કરવામાં આવી, આજ પહેલા મેં આ પ્રકારની ભલાઈ અને બુરાઈ નથી જોય, જો તમે તે વાતો જાણી લો…

મારી સમક્ષ જન્નત અને જહન્નમ રજૂ કરવામાં આવી, આજ પહેલા મેં આ પ્રકારની ભલાઈ અને બુરાઈ નથી જોય, જો તમે તે વાતો જાણી લો જે હું જાણું છું તો તમે ઓછું હસતા અને રડતા વધારે

અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાના સહાબાને એવો ખુતબો આપ્યો, જે પહેલા ક્યારેય આપ્યો ન હતો, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «મારી સમક્ષ જન્નત અને જહન્નમ રજૂ કરવામાં આવી, આજ પહેલા મેં આ પ્રકારની ભલાઈ અને બુરાઈ નથી જોય, જો તમે તે વાતો જાણી લો જે હું જાણું છું તો તમે ઓછું હસતા અને રડતા વધારે» કહ્યું: સહાબા રઝી અલ્લાહુ અન્હુમ આજ દિવસ પહેલા સખત દિવસ જોયો ન હતો, કહ્યું: તેમણે પોતાના ચહેરા છુપાવી લીધા, અને દુ:ખની અવાજ કાઢવા લાગ્યા, ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા એ કહ્યું: ઉમર રઝી અલ્લાહુ અન્હુ ઊભા થયા અને કહ્યું: "રઝીના બિલ્લાહી રબ્બવ વબિલ્ ઇસ્લામિ દીના વબિ મુહમ્મદિન્ નબિય્યા" (અમે રાજી છે અલ્લાહના પાલનહાર હોવાથી, અને ઇસ્લામના દીન હોવાથી, અને મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના નબી હોવાથી.), કહ્યું: એક વ્યક્તિ ઊભો થયો અને કહ્યું: મારો પિતા કોણ છે? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ફલાણા તારા પિતા છે», તો આ આયત ઉતરી: {હે ઈમાનવાળાઓ! એવી વાતો વિશે સવાલ ન કરો કે જો તમને તે વાત જણાવી દેવામાં આવે તો તમને પસંદ નહી આવે} [અલ્ માઇદહ: ૧૦૧].

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને તેમના સહાબા વિષે વાત પહોંચી કે તેઓ વધુ પ્રમાણમાં મસઅલા વિશે પૂછી રહ્યા છે, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ગુસ્સે થયા અને લોકોને વક્તવ્ય આપ્યું, અને કહ્યું: મારી સમક્ષ જન્નત અને જહન્નમ લાવવામાં આવી; આજના દિવસ કરતા પહેલા મેં ક્યારેય આટલી ભલાઈ નથી જોઈ, જે મેં જન્નતમાં જોઈ અને ન તો આજ પહેલા એટલી બુરાઈ જોઈ જેટલી મેં આજે જહન્નમમાં જોય, જો તમે તે જોઈ લો જે મેં જોયું છે, અને તે જાણી લો જે મેં આજે જોયું છે, તો તમે ભયભીત થઈ ઓછું હસતા અને રડતા વધારે. અનસ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: તેમના સહાબાઓ માટે તે દિવસથી વધુ સખત કોઈ દિવસ ન હતો, તેઓ પોતાના માથું ઝુકાવી, તેમના રડવાની તીવ્રતાના કારણે તેમના નાકમાંથી અનુનાસિક અવાજ સાથે રડવાનો અવાજ આવવા લાગ્યો. તો ઉમર રઝી અલ્લાહુ અન્હુ ઊભા થયા અને કહ્યું: "રઝીના બિલ્લાહી રબ્બવ વબિલ્ ઇસ્લામિ દીના વબિ મુહમ્મદિન્ નબિય્યા" (અમે રાજી છે અલ્લાહના પાલનહાર હોવાથી, અને ઇસ્લામના દીન હોવાથી, અને મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના નબી હોવાથી.) અનસ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: એક વ્યક્તિ ઊભો થયો અને કહ્યું: મારા પિતા કોણ છે? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ફલાણા તારા પિતા છે», તો આયત ઉતરી: {હે ઈમાનવાળાઓ! એવી વાતો વિશે સવાલ ન કરો કે જો તમને તે વાત જણાવી દેવામાં આવે તો તમને પસંદ નહી આવે} [અલ્ માઇદહ: ૧૦૧].

فوائد الحديث

અલ્લાહના ભય અને અઝાબથી રડવું યોગ્ય છે, અને વધુ પ્રમાણમાં હસવું ન જોઈએ; કારણકે તે બેદરકારી અને હૃદયની કઠોરતા દર્શાવે છે.

સહાબા રઝી અલ્લાહુ અન્હુમનું આ ઉપદેશથી પ્રભાવિત થવું, અને તેમનું અલ્લાહના અઝાબથી ભયભીત થવાનું વર્ણન.

રડતી વખતે મોઢું નીચે કરવું જાઈઝ છે.

ઈમામ ખત્તાબી રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષ તે લોકો વિષે છે, જેઓ કોઈ પણ જરૂરત વગર વધુ પ્રમાણમાં સવાલ કરતાં હોય છે, પરંતુ જો કોઈ જરૂરતના કારણે સવાલ કરે તો તેના પર કોઈ ગુનોહ અને પકડ નથી.

અલ્લાહના અનુસરણ પર અડગ રહેવા પર પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે, અને ગુનાહોથી દૂર રહેવા, અને અલ્લાહએ નક્કી કરેલ હદોને ઉલંઘન કરવાથી રોક્યા છે.

શિક્ષા અને શિખામણ વખતે ગુસ્સે થવું જાઈઝ છે.

التصنيفات

જન્નત અને જહન્નમની લાક્ષણિકતા