અહીંયાથી ગયા પછી મેં ત્રણ વખત ચાર કલીમાં પઢયા છે, જો તે કલિમાને તમારા શબ્દો સાથે, જે તમે હમણાં પઢયા છે, તોલવામાં આવે…

અહીંયાથી ગયા પછી મેં ત્રણ વખત ચાર કલીમાં પઢયા છે, જો તે કલિમાને તમારા શબ્દો સાથે, જે તમે હમણાં પઢયા છે, તોલવામાં આવે તો આ ચાર કલીમા વાળું ત્રાજવું નમી જશે

ઉમ્મુલ્ મુઅમિનીન જુવૈરિયહ રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સવારની નમાઝ પઢીને સવાર સવારમાં તેમની પાસેથી બહાર નીકળ્યા, તેઓ પોતાની નમાઝ પઢવાની જગ્યાએ બેઠા હતા, પછી જ્યારે સવાર થઈ તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તેમની પાસે ફરી આવ્યા, તો પણ તેઓ તે જ જગ્યાએ બેસી રહ્યા હતા, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે સ્થિતિમાં હું છોડીને ગયો હતો તે જ સ્થિતિમાં તમે બેઠા છો?», તેમણે કહ્યું: હા, તો આપસલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «અહીંયાથી ગયા પછી મેં ત્રણ વખત ચાર કલીમાં પઢયા છે, જો તે કલિમાને તમારા શબ્દો સાથે, જે તમે હમણાં પઢયા છે, તોલવામાં આવે તો આ ચાર કલીમા વાળું ત્રાજવું નમી જશે: "સુબ્હાનલ્લાહિ વ બિહમદિહી અદદ ખલ્કિહી વ રિઝા નફ્સિહિ વઝિનત અર્શિહી વ મિદાદ કલિમાતિહી" (અર્થ: અલ્લાહની પવિત્રતા અને પ્રશંસા વર્ણન કરું છું, તેના સર્જનની સંખ્યા અને તેની પ્રસન્નતા જેટલી, તેમજ તેના અર્શના વજન અને કલીમાની સહી બરાબર».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

સવાર સવારમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઉમ્મુલ્ મુઅમિનીન જુવૈરિયહ રઝી અલ્લાહુ અન્હા પાસેથી બહાર નીકળ્યા, તેઓ નમાઝ પઢવાની જગ્યાએ બેઠા હતા, પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ચાશતના સમયે પાછા આવ્યા, તેઓ તે જ જગ્યાએ બેઠા હતા, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: જે સ્થિતિમાં હું તમને છોડીને ગયો હતો, હજુ પણ તમે ત્યાં જ બેઠા છો? તેમણે કહ્યું: હા, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તમને છોડીને ગયા પછી મેં ચાર કલિમા ત્રણ વખત પઢયા છે, જો તમે આ શબ્દોનો સવાબ જાણી લેતા, તો તમે જે અત્યાર સુધી બેસી જે ઝિક્ર કરી રહ્યા છો તેના પર આ ચાર કલીમાને પઢવામાં પ્રાથમિકતા આપતા: ("સુબ્હાનલ્લાહિ" અલ્લાહ પવિત્ર છે), અલ્લાહ તઆલા દરેક ખામીથી પાક છે, ("વ બિહમદિહિ" દરેક પ્રકારની પ્રસંશા તેના માટે જ છે), તેણે માર્ગદર્શન આપેલ સંપૂર્ણ સુંદર વખાણ તેના માટે જ છે ("અદદ ખલ્કિહિ" તેના સર્જનની ગણતરી બરાબર), જેને અલ્લાહ સિવાય કોઈ નથી જાણતું, ("વ રિઝા નફ્સિહિ" તેની પ્રસન્નતા જેટલી), તે ખુશ થાય એટલી તસ્બીહ વર્ણન કરીએ છીએ, તે પોતાના બંદાઓથી એટલો ખુશ થાય છે, જેની અંદાજો નથી કરી શકતા, ("વ ઝિનત અર્શિહિ" અર્શના વજન બરાબર) જે દરેક સર્જન કરતા મહાન અને ભારે છે, (વ મિદાદ કલિમાતિહિ" તેના કલિમાની સિયાહી બરાબર), તેના શબ્દો અગણિત છે, તેને ગણી નથી શકતા, જેમાં ત્રણેય વિષયનો સમાવેશ થાય છે, જેવું કે તેના કલીમાની સિયાહી, તે બુલંદ છે, પોતાની વિશાળતા, સ્પષ્ટતા અને સંખ્યામાં અગણિત છે, અહીંયા વધારો જણાવવા પર જોર આપવામાં આવ્યું છે, પહેલા નંબર પર તેણે અગણિત સર્જનનું વર્ણન કર્યું, ત્યારબાદ તેના કરતાં પણ અગણિત અલ્લાહના કલિમાનું વર્ણન કર્યું અને ત્યારબાદ સર્જન માંથી સૌથી મહાન અને ભારે અર્શનું વર્ણન કર્યું, પ્રથમ, એક માપદંડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે - તેના સર્જનની સંખ્યા પછી, તે "પોતાના આનંદ" તરીકે વ્યક્ત કરતાં વધુ કંઈક તરફ આગળ વધે છે. આગળ સૌથી મહાન અને જે વજનમાં સૌથી ભારે છે, અર્શનું વર્ણન. પ્રથમ સંખ્યા અને જથ્થા સાથે, બીજુ વર્ણન અને ગુણવત્તા સાથે અને ત્રીજો મહાનતા અને વજન સાથે સંબંધિત છે.

فوائد الحديث

આ શબ્દો કહેવાની મહત્ત્વતા અને તેને કહેવા પર પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.

ઝિક્ર વિવિધ પ્રકારના છે, મહાનતામાં કેટલાક એકબીજાથી અલગ હોય છે.

ઈમામ નવવી રહિમહુલ્લાહએ આ શબ્દ વિષે કહ્યું: (સુબ્હાનલ્લાહિ વ બિહમદીહિ મિદાદ કલિમાતિહિ): તેનો અર્થ વધારો દર્શાવવો છે, એટલા માટે સૌ પ્રથમ સંખ્યાને સર્જનની સંખ્યા બરાબર વર્ણન કરી, ત્યારબાદ અર્શના વજન બરાબર અને પછી તેના કરતાં વધુનું વર્ણન કરવામાં આવ્યું, જે અગણિત છે અને ગણી પણ નથી શકતા.

ઈમામ ઈબ્ને કય્યિમ રહિમહુલ્લાહએ કહ્યું: જ્યારે બંદો આ ઝિક્ર "સુબ્હાનલ્લાહિ વ બિહમ્દિહિ, વ અદદ ખલકિહિ..." છેલ્લે સુધી પઢે, તો તેના દિલની સ્થિતિ કેવી હશે, તેની મહાનતા, તેની પાકી અને શક્તિ તેના શબ્દો જે હમણાં વર્ણન કરી રહ્યો છે અને તેના દિલમાં છે તેના કરતાં પણ વધારે તેની મહાનતા, પાકી અને કુદરતને લાયક છે, જ્યારે ફક્ત સુબ્હાનલ્લાહ કહેવા પર તેની સ્થિતિ હોય છે.

એવા વ્યાપક શબ્દો તરફ માર્ગદર્શન આપવામાં આવ્યું છે, જેમાં શબ્દો ઓછો હોય પરંતુ તેનો સવાબ, બદલો અને કૃપા ખૂબ હોય.

التصنيفات

સવાર-સાંજ પઢવાના ઝિકર