?અમારી અને તેમની વચ્ચે એક વચન નમાઝનું છે, જે વ્યક્તિ નમાઝ છોડશે, તો તેણે કુફ્ર કર્યું

?અમારી અને તેમની વચ્ચે એક વચન નમાઝનું છે, જે વ્યક્તિ નમાઝ છોડશે, તો તેણે કુફ્ર કર્યું

બુરૈદહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી ﷺ એ કહ્યું: «અમારી અને તેમની વચ્ચે એક વચન નમાઝનું છે, જે વ્યક્તિ નમાઝ છોડશે, તો તેણે કુફ્ર કર્યું».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી ﷺ જણાવી રહ્યા છે કે મુસલમાન અને અન્ય લોકો અર્થાત્ કાફિર અને મુનાફિક વચ્ચે એક ઠોસ વચન નમાઝ છે, જે વ્યક્તિ નમાઝ છોડશે તો તેણે કુફ્ર કર્યું.

فوائد الحديث

નમાઝની મહત્ત્વતા અને તે મોમિન તેમજ કાફિર વચ્ચે તફાવતનો સ્ત્રોત છે.

ઇસ્લામના આદેશો માનવીની જાહેર સ્થિતિથી જોઈ સાબિત કરવામાં આવે છે, બાતેનની સ્થિતિ જોવામાં ન આવે.

التصنيفات

ઇસ્લામને તોડવા વાળી બાબતો, કુફ્ર, નમાઝ માટે ફર્ઝ આદેશ અને તેને છોડનાર માટેનો હુકમ