إعدادات العرض
મોમિન ન તો મહેણાં ટોણા મારવાવાળો, લઅનત કરવાવાળો, અશ્લીલ અને અપશબ્દ બોલનારો નથી હોતો
મોમિન ન તો મહેણાં ટોણા મારવાવાળો, લઅનત કરવાવાળો, અશ્લીલ અને અપશબ્દ બોલનારો નથી હોતો
અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «મોમિન ન તો મહેણાં ટોણા મારવાવાળો, લઅનત કરવાવાળો, અશ્લીલ અને અપશબ્દ બોલનારો નથી હોતો».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે]
الترجمة
العربية অসমীয়া Bahasa Indonesia Kiswahili Tagalog Tiếng Việt Nederlands සිංහල پښتو Hausa മലയാളം नेपाली Кыргызча English Svenska Română Kurdî Bosanski فارسی తెలుగు اردو ქართული Moore Српски Magyar Português Македонски Čeština Русский Українська हिन्दी አማርኛ Malagasy Kinyarwanda Wolofالشرح
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે સંપૂર્ણ ઇમાન ધરાવનાર મોમિનની આ શાન નથી કે તે લોકોના નસબને લઈ તેમનું અપમાન કરે, ખૂબ લઅનત અને મહેણાં ટોણાં મારે, અને પોતાના કાર્યો તેમજ જબાન વડે અભદ્ર શબ્દો કહે, જેમાં સહેજ પણ હયા ન હોય.فوائد الحديث
શરીઅત (કુરઆન હદીષ) પ્રમાણે ઇમાનનો ઇન્કાર ફક્ત હરામ કાર્ય કરવા અથવા વાજિબ કાર્યો છોડવા પર જ થઈ શકે છે.
અંગોને સુરક્ષિત રાખવા અને તેમને બુરાઈથી બચવા માટે ઉભારવા, ખાસ કરીને જબાન.
ઈમામ સિન્દી રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષમાં જે શબ્દોનું વર્ણન થયું છે, (અત્ તઆન, અલ્ લિઆન) જે શબ્દો મુબાલગા (અરબી વ્યાકરણ) ના છે, એ વાતની પુષ્ટિ કરે છે કે કેટલાક લઅનતને પાત્ર વ્યક્તિ પર લઅનત કરવાથી મોમિન અને તેના ઇમાનને કોઈ નુકસાન નથી પહોંચતું.