?કોઈ બીમારી ચેપી નથી હોતી, અને અપશુકનની કોઈ વાસ્તવિકતા નથી, હા મને ફાલ (શુકન) લેવું સારું લાગે છે», સહાબાઓએ સવાલ…

?કોઈ બીમારી ચેપી નથી હોતી, અને અપશુકનની કોઈ વાસ્તવિકતા નથી, હા મને ફાલ (શુકન) લેવું સારું લાગે છે», સહાબાઓએ સવાલ કર્યો: ફાલ (શુકન લેવું) શું છે? તો નબી ﷺ એ કહ્યું: «સારી વાત

અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «કોઈ બીમારી ચેપી નથી હોતી, અને અપશુકનની કોઈ વાસ્તવિકતા નથી, હા મને ફાલ (શુકન) લેવું સારું લાગે છે», સહાબાઓએ સવાલ કર્યો: ફાલ (શુકન લેવું) શું છે? તો નબી ﷺ એ કહ્યું: «સારી વાત».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે અજ્ઞાનતાના કાળમાં લોકો એવો અકીદો ધરાવતા હતા કે બીમારી અલ્લાહના આદેશ વગર એક માથી બીજામાં જાય છે, અને અપશુકન લાગવું એ બાતેલ (અયોગ્ય) છે, અને તે એ કે પક્ષીઓ, જાનવરો, અપંગ લોકો, સંખ્યાઓ, દિવસો અથવા કોઈ પણ વસ્તુમાં માયૂસ (નિરાશાજનક) સમજવું, આ હદીષમાં પક્ષીનો ઉલ્લેખ એટલા માટે કરવામાં આવ્યો કે તે અજ્ઞાનતા સમયે વિખ્યાત હતું, લોકો જ્યારે સફર કરતાં, અથવા વેપાર ધંધો વગરે જેવા કાર્યો કરતાં તો પક્ષી ઉડાડતા, જો પક્ષી જમણી બાજુ ઉડતું તો તેઓ તેને સારું સમજતા, અને જો તે પક્ષી ડાબી બાજુ ઉડતું તો તેઓ નિરાશ થઈ જતાં અને તેને અપશુકનિય સમજી, તે કાર્ય છોડી દેતા. ફરી નબી ﷺ એ જણાવ્યું કે મને શુકન લેવું સારું લાગે છે, તે એ કે માનવી ખુશીના સમયે સારા શબ્દો કહે છે, અને તેના દ્વારા તો પોતાના પાલનહાર પાસે સારી ઉમ્મીદ રાખે છે.

فوائد الحديث

અલ્લાહ તઆલા પર ભરોસો કરવો, તે એ કે કોઈ પણ પ્રકારની ભલાઈ કે બુરાઈ અલ્લાહના આદેશ વગર આવી શક્તિ નથી.

આ હદીષમાં અપશુકન લેવાથી રોક્યા છે, તે એ કે કોઈ વસ્તુને નિરાશ સમજી તેનાથી રોકાઈ જવાનું કારણ બને છે.

શુકન લેવું તે અપશુકન માંથી નથી, પરંતુ તે અલ્લાહ તઆલા પાસે સારી ઉમ્મીદ રાખવાનું નામ છે.

દરેક વસ્તુ સર્વ શ્રેષ્ઠ અલ્લાહએ નક્કી કરેલ તકદીર (ભાગ્ય) પ્રમાણે મળે છે, અને અલ્લાહનું કોઈ ભાગીદાર નથી.

التصنيفات

તૌહીદે ઉલુહિયત