إعدادات العرض
તમે આ પ્રકારની ગંદકી (વ્યભિચાર)થી બચો, જેનાથી અલ્લાહએ રોક્યા છે, જો કોઈ વ્યક્તિથી આ કુકર્મ થઈ જાય તો, જો અલ્લાહએ…
તમે આ પ્રકારની ગંદકી (વ્યભિચાર)થી બચો, જેનાથી અલ્લાહએ રોક્યા છે, જો કોઈ વ્યક્તિથી આ કુકર્મ થઈ જાય તો, જો અલ્લાહએ તેને છુપાવ્યું હોય, તો તે પણ તેને છુપાવી લે અને અલ્લાહથી તૌબા કરે; કારણકે જે વ્યક્તિના કુકર્મ વિષે અમને જાણ થઈ ગઈ તો અને સર્વશક્તિમાન અલ્લાહની કિતાબ અનુસાર તેના પર આદેશ લાગું કરીશું
અબ્દુલ્લાહ બિન અમ્ર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અસ્લમીને રજમ (સંગસાર) કર્યા પછી ઊભા થયા અને કહ્યું: «તમે આ પ્રકારની ગંદકી (વ્યભિચાર)થી બચો, જેનાથી અલ્લાહએ રોક્યા છે, જો કોઈ વ્યક્તિથી આ કુકર્મ થઈ જાય તો, જો અલ્લાહએ તેને છુપાવ્યું હોય, તો તે પણ તેને છુપાવી લે અને અલ્લાહથી તૌબા કરે; કારણકે જે વ્યક્તિના કુકર્મ વિષે અમને જાણ થઈ ગઈ તો અને સર્વશક્તિમાન અલ્લાહની કિતાબ અનુસાર તેના પર આદેશ લાગું કરીશું».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [Al-Bayhaqi - Al-Haakim]
الترجمة
العربية Bosanski English فارسی Français Русский हिन्दी 中文 ئۇيغۇرچە Bahasa Indonesia اردو Kurdî Tiếng Việt Nederlands Kiswahili অসমীয়া සිංහල Magyar ქართული Hausa Română ไทย Português Tagalog मराठी ਪੰਜਾਬੀ دری አማርኛ বাংলা پښتو ភាសាខ្មែរ Español ಕನ್ನಡ Lietuvių Македонски Türkçe తెలుగు O‘zbek Українська Azərbaycan Moore Wolof Kinyarwanda Čeština Српски Shqip тоҷикӣالشرح
અબ્દુલ્લાહ બિન અમ્ર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ માઇઝ્ બિન માલિક અસ્લમીને વ્યભિચારનિ સજા રજમ (સંગસાર) આપ્યા પછી ઊભા થયા અને લોકોને સંબોધિત કરી કહ્યું: આ પ્રકારની ગંદકીથી બચો, જે ગુનાહોમાં સૌથી ખરાબ ગુનોહ છે, જેનાથી અલ્લાહએ રોક્યા છે, બસ જે વ્યક્તિ આ કુકર્મમાં સપડાઈ જાય, તો તેના પર બે બાબતો લાગું પડે છે: પહેલી બાબત: તે પોતાના ગુનાહને ત્યાં સુધી છુપાવે, જ્યાં સુધી અલ્લાહએ છુપાવ્યો છે અને અન્યને તેના વિષે જાણ ન કરે. બીજી બાબત: તે અલ્લાહ પાસે તૌબા કરવામાં ઉતાવળ કરે, અને ગુનાહ પર અડેલો ન રહે, અને જે વ્યક્તિ આ પ્રમાણેની અવજ્ઞા કરતો દેખાશે, અમે તેના પર અલ્લાહની કિતાબ પ્રમાણે સજા લાગું કરીશું.فوائد الحديث
આ હદીષમાં માનવીને પોતાના પાપ છુપાવવા પર ઉભાર્યા અને તે ગુનાહ પર તૌબા કરવી જોઈએ, જે તેની અને તેના પાલનહાર દરમિયાન હોય.
કેસ જ્યારે આગેવાન સુધી પહોંચી જશે, તો અનિવાર્ય રૂપે સજાઓ લાગુ પાડવામાં આવશે.
ગુનાહોથી બચવું જરૂરી છે અને તેની માફી માંગવી જોઈએ.
التصنيفات
તૌબા