إعدادات العرض
જ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ રાત્રે (તહજ્જુદ) પઢવા માટે ઉઠતા, તો મિસ્વાક વડે ખૂબ સારી રીતે મોઢું સાફ કરતા…
જ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ રાત્રે (તહજ્જુદ) પઢવા માટે ઉઠતા, તો મિસ્વાક વડે ખૂબ સારી રીતે મોઢું સાફ કરતા હતા
હુઝૈફહ રઝી અલ્લાહુ અનહુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: જ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ રાત્રે (તહજ્જુદ) પઢવા માટે ઉઠતા, તો મિસ્વાક વડે ખૂબ સારી રીતે મોઢું સાફ કરતા હતા.
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Français Bahasa Indonesia Русский Tagalog Türkçe اردو 中文 हिन्दी ئۇيغۇرچە Hausa Português Kurdî Kiswahili සිංහල অসমীয়া Tiếng Việt دری Nederlands नेपाली پښتو ไทย Svenska മലയാളം Кыргызча Oromoo Română తెలుగు ಕನ್ನಡ Српски ქართული Moore Kinyarwanda Magyar Македонски Čeština Azərbaycan Lietuvių Українська Wolof አማርኛالشرح
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઘણી વખત મિસ્વાક કરતા અને તેનો આદેશ આપતા હતા, કેટલાક સમયે મિસ્વાક કરવા પર જોર આપતા, જેમકે, તહજ્જુદની નમાઝ પઢવા માટે ઉઠતી વખતે, જ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પણ દાતણ કરતાં અને ખૂબ સારી રીતે મોઢું સાફ કરતાં.فوائد الحديث
રાત્રે સૂઈને ઉઠી મિસ્વાક કરવા પર શરીઅતે જોર આપ્યું છે, એટલા માટે કે ઊંઘના કારણે મોઢામાં દુર્ગંધ વાંસ આવતી હોય છે, અને મિસ્વાક કરવાથી તે દુર્ગંધ દૂર થઈ જાય છે.
પાછળ વર્ણન કરેલ અર્થના કારણે જ્યારે મોઢામાં દરેક પ્રકારની ખરાબ વસ્તુઓ દ્વારા ફેરફાર થાય ત્યારે મિસ્વાક (દાતણ) કરવું જરૂરી છે.
સામાન્ય રીતે સ્વચ્છતાની કાયદેસરતા, અને તે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સુન્નતનો એક ભાગ છે, અને ઉત્કૃષ્ટ શિષ્ટાચાર માંથી છે.
સંપૂર્ણ મોઢામાં મિસ્વાક કરવું શામેલ છે, દાંતોમાં, પેઢાંમાં તેમજ જબાનમાં.
મિસ્વાકએ ઊદનું વૃક્ષ અથવા અન્ય ઝાડમાંથી કાપવામાં આવેલી લાકડી છે, જેનો ઉપયોગ મોં અને દાંતને સાફ કરવા અને દુર્ગધ દૂર કરવા માટે થાય છે.