إعدادات العرض
આપ ﷺ એ કોઈ વાતનું કર્યું, અને કહ્યું: «આ ત્યારે થશે, જ્યારે ઇલ્મ ઉઠાવી લેવામાં આવશે
આપ ﷺ એ કોઈ વાતનું કર્યું, અને કહ્યું: «આ ત્યારે થશે, જ્યારે ઇલ્મ ઉઠાવી લેવામાં આવશે
ઝિયાદ બિન લબીદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: આપ ﷺ એ કોઈ વાતનું કર્યું, અને કહ્યું: «આ ત્યારે થશે, જ્યારે ઇલ્મ ઉઠાવી લેવામાં આવશે» મેં કહ્યું: હે અલ્લાહના રસૂલ, ઇલ્મ કંઈ રીતે ઉઠાવી લેવામાં આવશે, જ્યારે કે અમે કુરઆન પઢીએ છીએ, અમારા બાળકો કુરઆન પઢે છે, અને કયામત સુધી તેમના બાળકોના પણ બાળકો કુરઆન પઢતા રહેશે? આપ ﷺ એ કહ્યું કે «હે ઝિયાદ તમને તમારી માતા ગુમ કરે, હું તો તમને મદીના શહેરનો સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ સમજતો હતો, શું આ યહૂદી અને નસ્રાની લોકો તૌરાત અને ઈંજિલ નથી પઢતા, પરંતુ તે લોકો તેના પ્રમાણે અમલ નથી કરતા?!».
الترجمة
العربية English မြန်မာ Svenska Čeština አማርኛ Yorùbá Nederlands اردو Español Bahasa Indonesia ئۇيغۇرچە বাংলা Türkçe Bosanski සිංහල हिन्दी Tiếng Việt Hausa മലയാളം తెలుగు Kiswahili ไทย پښتو অসমীয়া Shqip دری Ελληνικά Български Fulfulde Italiano ಕನ್ನಡ Кыргызча Lietuvių Malagasy Română Kinyarwanda Српски тоҷикӣ O‘zbek नेपाली Moore Kurdî Wolof Soomaali Français Oromoo Azərbaycan Tagalog Українська mr தமிழ் bm Deutsch ქართული Português Македонски Magyar Русский 中文 فارسی yaoالشرح
આપ ﷺ સહાબા વચ્ચે બેઠા હતા, અને કહ્યું: તે સમયની વાત છે જ્યારે ઇલ્મ ઉઠાવી અને છીનવી લેવામાં આવશે, ઝિયાદ બિન લબીદ અન્સારી રઝી અલ્લાહુ અન્હુ ને આશ્ચર્ય થયું, અને તેમણે આપ ﷺ ને સવાલ કર્યો, તેમણે કહ્યું: કેવી રીતે ઇલ્મ ઉઠાવી લેવામાં આવશે અને ઇલ્મ નષ્ટ થઈ જશે? ! જ્યારે કે અમે કુરઆન પઢીએ છીએ અને યાદ પણ કરીએ છીએ; અલ્લાહની કસમ અમે જરૂર તેને પઢીએ છીએ, અમારા ઘરની સ્ત્રીઓ પઢે છે, અમારા બાળકો પઢે છે, અમારા બાળકોના બાળકો પઢે છે, આપ ﷺ એ આશ્ચર્યથી કહ્યું: તમારી માતા તમને ગુમ કરે હે ઝિયાદ !: હું તો તમને મદીનાના જાણકાર લોકો માંથી સમજતો હતો! પછી આપ ﷺ એ સ્પષ્ટતા કરી: ઇલ્મનું વ્યર્થ થવાનો મતલબ એ નથી કે કુરઆન વ્યર્થ થઈ જશે અથવા કે ખોવાઈ જશે; પરંતુ તેનો મતલબ એ કે અમલ વ્યર્થ થઈ જશે, જેના કારણે ઇલ્મ પણ ખોવાઈ જશે, એવી જ રીતે તૌરાત અને ઈંજિલ યહૂદી અને નસરાની પાસે હતી; તેઓએ તે બંને આકાશીય પુસ્તકો માંથી ફાયદો ન ઉઠાવ્યો, તેમજ તેનો જે હેતુ હતો તેનાથી પણ ફાયદો ન ઉઠાવ્યો, અને તેના ઇલ્મ પ્રમાણે અમલ ન કર્યો!فوائد الحديث
લોકોના હાથમાં પુસ્તક હોવી જરૂરી નથી કે તેમને ફાયદો પહોંચાડે, પરંતુ તેમને ફાયદો ત્યારે જ થશે જ્યાં સુધી તેના પ્રમાણે અમલ કરવામાં ન આવે.
ઇલ્મ ઉઠાવી લેવાના ઘણા તરીકા હોય છે, જેમાંથી: આપ ﷺ નું મૃત્યુ, આલિમોનું મૃત્યુ, અને ઇલ્મ પ્રમાણે અમલ ન કરવું.
કયામતની નિશાનીઓ માંથી છે કે ઇલ્મ ઉઠાવી લેવામાં આવશે, અને લોકો તેના પર અમલ કરવાનું છોડી દે શે.
આ હદીષમાં ઇલ્મ પ્રમાણે અમલ કરવા પ્રત્યે પ્રોત્સાહન આપ્યું છે, કારણકે સાચો હેતુ તે જ છે.