إعدادات العرض
યહૂદી, જેમના પર અલ્લાહ ગુસ્સે થયો, અને નસ્રાની, જેઓ ગુમરાહ છે
યહૂદી, જેમના પર અલ્લાહ ગુસ્સે થયો, અને નસ્રાની, જેઓ ગુમરાહ છે
અદી બિન હાતિમ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «યહૂદી, જેમના પર અલ્લાહ ગુસ્સે થયો, અને નસ્રાની, જેઓ ગુમરાહ છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે]
الترجمة
ar en my sv cs yo ur id ug si hi ha sw ps as prs ky or tr vi ne rw te bs lt ro ml nl so sr ku uk de kn wo mos sq pt ka az zh hu fa mk ta ru bn am mgالشرح
આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે યહૂદી કોમ તે છે, જેમના પર અલ્લાહ ગુસ્સે થયો; કારણકે તેમણે સત્ય જાણી તેના પર અમલ ન કર્યો, અને નસ્રાનીઓ પથભ્રષ્ટ કોમ છે; કારણકે તેમણે ઇલમ વગર અમલ કર્યો.فوائد الحديث
ઇલ્મ અને અમલ બન્ને અલ્લાહના ગુસ્સાથી તેમજ ગુમરાહના માર્ગથી બચવા માટેના સ્ત્રોત છે.
યહૂદીઓ અને નસ્રાનીઓના માર્ગ પર ચાલવા પર સખત ચેતવણી, અને સત્ય માર્ગ પર અડગ રહેવા પર તાકીદ કરવામાં આવી છે, જે ઇસ્લામ છે.
યહૂદ અને નસારા આ બન્ને કોમ ગુમરાહ હતી, અને તેમના પર અલ્લાહ ગુસ્સે થયો, પરંતુ યહૂદ કોમ માટે અલ્લાહનો ગુસ્સો અને નસારા કોમ માટે ગુમરાહી ખાસ કરી દેવામાં આવી છે.