إعدادات العرض
જે વ્યક્તિ અલ્લાહ માટે મસ્જિદ બનાવે તેના માટે અલ્લાહ તેના જેવું જ જન્નતમાં એક ઘર બનાવે છે
જે વ્યક્તિ અલ્લાહ માટે મસ્જિદ બનાવે તેના માટે અલ્લાહ તેના જેવું જ જન્નતમાં એક ઘર બનાવે છે
મહમૂદ બિન લબીદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: ઉષ્માન રઝી અલ્લાહુ અન્હુ મસ્જિદે નબવીમાં (રીનોવેશન) કરવાનો વિચાર કર્યો તો લોકો તેને નાપસંદ કરવા લાગ્યા, અને લોકો ઇચ્છતા હતા કે જે સ્થિતિમાં મસ્જિદ છે, તે જ સ્થિતિમાં તેને છોડી દો, આ વાત પર ઉષ્માન રઝી અલ્લાહુ અન્હુ એ કહ્યું: મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા છે: «જે વ્યક્તિ અલ્લાહ માટે મસ્જિદ બનાવે તેના માટે અલ્લાહ તેના જેવું જ જન્નતમાં એક ઘર બનાવે છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]
الترجمة
العربية English မြန်မာ Svenska Čeština Yorùbá Nederlands اردو Bahasa Indonesia ئۇيغۇرچە বাংলা Türkçe සිංහල हिन्दी Tiếng Việt Hausa Kiswahili پښتو অসমীয়া دری Кыргызча Lietuvių Kinyarwanda नेपाली മലയാളം తెలుగు Bosanski ಕನ್ನಡ Kurdî Oromoo Română Soomaali Shqip Српски Українська Wolof Moore Tagalog தமிழ் Azərbaycan فارسی ქართული 中文 Magyar Português Deutsch Русский Македонски bm አማርኛالشرح
ઉષ્માન બિન અફ્ફાન રઝી અલ્લાહુ અન્હુ એ મસ્જિદે નબવીમાં રીનોવેશન કરાવવાનો ઈરાદો કર્યો કે પહેલા કરતા મસ્જિદ થોડીક સુંદર બની જાય, તો લોકો આ વાત નાપસંદ કરવા લાગ્યા; કારણકે જે ઇમારત નબી ﷺ ના સમયમાં હતી, તે ઇમારત બદલાઈ જશે, મસ્જિદ માટીથી બનાવવામાં આવી હતી અને તેનો સ્લેપ પાંદડાના હતો, તો ઉષ્માન રઝી અલ્લાહુ અન્હુ એ મસ્જિદને ઈંટો અને પલાસ્ટરની બનાવવાનો ઈરાદો કર્યો, ઉષ્માન રઝી અલ્લાહુ અન્હુ એ લોકોને જણાવ્યું કે તેમણે નબી ﷺ દ્વારા સાંભળ્યું છે કે જે વ્યક્તિ ફક્ત અલ્લાહ માટે મસ્જિદ બનાવશે, નામચીન થવા માટે તેમજ દેખાડો કરવા માટે નહીં, તો અલ્લાહ તઆલા પણ તેના અમલ જેટલો તેને બદલો આપશે એ રીતે કે જન્નતમાં અલ્લાહ તેના જેવી જ ઇમારત બનાવી આપશે.فوائد الحديث
આ હદીષમાં મસ્જિદ બનાવવા પ્રત્યે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે અને તેની મહત્ત્વતા વર્ણન કરવામાં આવી છે.
મસ્જિદનું રીનોવેશન કરી તેને મોટી કરવી તે મસ્જિદ બનાવવી જ ગણાશે.
દરેક અમલમાં ફક્ત ઇખલાસનું મહત્વ.
التصنيفات
મસ્જિદ માટે કેટલાક આદેશો