ઉચ્ચ અલ્લાહએ કેટલીક વસ્તુ અનિવાર્ય કરી છે, તેને વ્યર્થ ન કરો, કેટલીક સીમાઓ નક્કી કરી છે, તેનાથી આગળ ન વધો, કેટલીક…

ઉચ્ચ અલ્લાહએ કેટલીક વસ્તુ અનિવાર્ય કરી છે, તેને વ્યર્થ ન કરો, કેટલીક સીમાઓ નક્કી કરી છે, તેનાથી આગળ ન વધો, કેટલીક વસ્તુ હરામ કરી છે, તેમાં સપડાઈ તેની પવિત્રતાનું ઉલ્લઘન ન કરો, અને કેટલીક વસ્તુઓ તમારા પર દયા કરતા, ભૂલ્યા વગર ગુપ્ત રાખવામાં આવી છે, તે બાબતે ચર્ચા ન કરો

અબૂ ષઅલબા ખુશની જુરષૂમ બિન્ નાશિર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ઉચ્ચ અલ્લાહએ કેટલીક વસ્તુ અનિવાર્ય કરી છે, તેને વ્યર્થ ન કરો, કેટલીક સીમાઓ નક્કી કરી છે, તેનાથી આગળ ન વધો, કેટલીક વસ્તુ હરામ કરી છે, તેમાં સપડાઈ તેની પવિત્રતાનું ઉલ્લઘન ન કરો, અને કેટલીક વસ્તુઓ તમારા પર દયા કરતા, ભૂલ્યા વગર ગુપ્ત રાખવામાં આવી છે, તે બાબતે ચર્ચા ન કરો».

[قال النووي: حديث حسن] [رواه الدارقطني في سننه وغيره]

الشرح

આ હદીષમાં મુહમ્મદ પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે અલ્લાહ તઆલાએ તમારા પર કેટલીક વસ્તુઓ અનિવાર્ય કરી છે, તેનું પાલન કરો અને તેની અવગણના તેમજ બેદરકારી કરવાથી બચો, તેણે તમારા માટે કેટલીક સીમાઓ અને અવરોધ નક્કી કર્યા છે, જેનાથી તે ખુશ નથી માટે તેનાથી દૂર રહો અને શરીઅતે વર્ણવેલ હદથી આગળ ન વધો, અને તેણે કેટલીક વસ્તુઓને હરામ કરી છે, તેમાં પડશો નહીં અને નજીક પણ ન જશો અને કેટલીક વસ્તુ બાબતે પોતાના બંદાઓ પર દયા કરતા તેને એમ જ છોડી દેવામાં આવી છે, અને તેના વિષે કોઈ આદેશ આપવામાં આવ્યો નથી, જેથી તે વસ્તુઓ તેની વાસ્તવિકતામાં યોગ્ય જ રહેશે, જેથી તેના વિષે પુષ્ટિ કરવા માટે ચર્ચા ન કરશો.

فوائد الحديث

આ હદીષ એ વાતની પુષ્ટિ કરે છે કે ફક્ત અલ્લાહ જ શરીઅત નક્કી કરનાર છે અને (કોઈ વસ્તુનો) આદેશ આપવો ફક્ત તેના હાથમાં જ છે.

હદીષમાં શરીઅતના દરેક નિયમો અર્થાત્ જે કાર્યો કરવા યોગ્ય છે અને જે કાર્યો કરવા યોગ્ય નથી બંનેને વર્ણન કરવામાં આવ્યા છે, શરીઅતના દરેક આદેશ કાંતો કુરઆન અને હદીષમાં સ્પષ્ટ રીતે વર્ણન કરવામાં આવ્યા છે, કાંતો તેના વિષે ચૂપ હોય, જે આદેશો પ્રત્યે સ્પષ્ટ રીતે વર્ણન કરવામાં આવ્યું છે તેમાંથી કોઈ કાર્યનો આદેશ આપવામાં આવ્યો છે, જેને કરવું વાજિબ (જરૂરી) છે અથવા મુન્દૂબ (જેને કરવું સારું) અથવા કોઈ કાર્યથી રોકવામાં આવ્યા છે જેને કરવું હરામ હશે અથવા તો મકરૂહ (ના પસંદ) હશે અથવા મુબાહ (યોગ્ય) હશે.

જે બાબતે અલ્લાહ ચૂપ હોય, તે કાર્ય ન તો અનિવાર્ય છે અને તેની સીમા નક્કી કરવામાં આવી છે અને ન તો તેના પર રોક લગાવવામાં આવી છે, એટલા માટે તે હલાલ (માન્ય) ગણવામાં આવશે.

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો સમજાવવોનો શ્રેષ્ઠ તરીકો કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ વિભાજીત કરી અલગ અલગ સમજાવ્યું.

અલ્લાહએ જે વસ્તુ અનિવાર્ય કરી હોય, તેને કરવું જરૂરી છે.

અલ્લાહએ વર્ણવેલ સીમાઓનું ઉલ્લઘંન કરવું માન્ય નથી.

التصنيفات

સજાઓના આદેશો