અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુબિક મિન અઝાબિલ્ કબ્રી, વ-મિન અઝાબિન્ નાર, વ-મિન ફિત્નતિલ્ મહ્યા વલ્ મમાત, વ-મિન ફિત્નતિલ્…

અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુબિક મિન અઝાબિલ્ કબ્રી, વ-મિન અઝાબિન્ નાર, વ-મિન ફિત્નતિલ્ મહ્યા વલ્ મમાત, વ-મિન ફિત્નતિલ્ મસીહિદ્ દજ્જાલ

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: નબી ﷺ આ શબ્દો વડે દુઆ કરતાં હતા: «"અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુબિક મિન અઝાબિલ્ કબ્રી, વ-મિન અઝાબિન્ નાર, વ-મિન ફિત્નતિલ્ મહ્યા વલ્ મમાત, વ-મિન ફિત્નતિલ્ મસીહિદ્ દજ્જાલ" (હે અલ્લાહ ! હું તારી પનાહ માંગુ છું કબરના અઝાબથી અને જહન્નમના અઝાબથી અને જિંદગી અને મૌતના ફિતનાથી અને મસીહ દજ્જાલના ફિતનાની બુરાઈથી)».અને મુસ્લિમની હદીષના શબ્દો છે: «જ્યાર તમારા માંથી કોઈ વ્યક્તિ નમાઝમાં તશહ્હુદ પઢી લે તો અલ્લાહ પાસે ચાર વસ્તુઓથી પનાહ માંગે: જહન્નમના અઝાબથી, કબરના અઝાબથી, જીવન અને મૃત્યુના ફીતનાથી, અને દાજ્જાલની બુરાઈથી».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

નબી ﷺ નમાઝમાં છેલ્લા તશહ્હુદની બેઠકમાં તશહ્હુદ પઢયા પછી સલામ પહેલા અલ્લાહ પાસે ચાર વસ્તુઓથી પનાહ માંગતા હતા, અને આપણને પણ તે ચાર વસ્તુઓથી પનાહ માંગવાનો આદેશ આપ્યો છે, પહેલી વસ્તુ: કબરના અઝાબથી. બીજી વસ્તુ: જહન્નમના અઝાબથી જે કયામતના દિવસે આપવામાં આવશે. ત્રીજી વસ્તુ: જીવનના ફિતનાથી, જે હરામ મનેચ્છાઓ અને ગંભીર શંકાઓમાં પડવાથી, અને મૃત્યુના ફિતનાથી અર્થાત્ મૃત્યુના સમયે, ઇસ્લામ અથવા સુન્નતથી ફરી જવું અથવા કબરનો ફિતનો જેમકે બંને ફરિશ્તાનો સવાલ કરવો. ચોથી વસ્તુ: દજજાલના ફિતનાથી, જે અંતિમ સમયમાં નીકળશે, જેના દ્વારા અલ્લાહ પોતાના બંદાઓની કસોટી કરશે, ખાસ કરીને અહીંયા તેનો ઉલ્લેખ તેની ભવ્ય પથભ્રષ્ટતા અને ફિતનાના કારણે કરવામાં આવ્યો છે.

فوائد الحديث

આ શબ્દો વડે જે અલ્લાહ પાસેથી પનાહ માંગવામાં આવી રહી છે તે નબી ﷺ દ્વારા વર્ણવેલ મહત્વની દુવાઓ અને શ્રેષ્ઠ શબ્દો માંથી છે, જેમાં દુનિયા અને આખિરતની દરેક પથ્ભ્રષ્ટતાઓનો સમાવેશ થાય છે.

કબરમાં અઝાબ થવો એ સાબિત છે અને સત્ય છે.

આ ફિતનાનો ભય અને તેનાથી અલ્લાહ પાસે પનાહ માંગવાની મહત્ત્વતા.

દજ્જાલનું નીકળવું સત્ય છે અને તેનો ફિતનો સૌથી મહાન છે.

છેલ્લા તશહ્હુદમાં આ દુઆ પઢવી જાઈઝ છે.

સત્કાર્યો કર્યા પછી દુઆ માંગી શકાય છે.

التصنيفات

નમાઝના ઝિકર