إعدادات العرض
એક વ્યક્તિએ નબી ﷺ ને સવાલ કર્યો કે કયો ઇસ્લામ સૌથી શ્રેષ્ઠ છે? તો નબી ﷺ એ કહ્યું: «તમે ખાવાનું ખવડાવો અને જેને તમે…
એક વ્યક્તિએ નબી ﷺ ને સવાલ કર્યો કે કયો ઇસ્લામ સૌથી શ્રેષ્ઠ છે? તો નબી ﷺ એ કહ્યું: «તમે ખાવાનું ખવડાવો અને જેને તમે જાણતા હોય તેને પણ અથવા જેને ન જાણતા ન હોય તેને પણ સલામ કરો
અબ્દુલ્લાહ બિન ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે: એક વ્યક્તિએ નબી ﷺ ને સવાલ કર્યો કે કયો ઇસ્લામ સૌથી શ્રેષ્ઠ છે? તો નબી ﷺ એ કહ્યું: «તમે ખાવાનું ખવડાવો અને જેને તમે જાણતા હોય તેને પણ અથવા જેને ન જાણતા ન હોય તેને પણ સલામ કરો».
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Français Bahasa Indonesia Русский Tagalog Türkçe اردو 中文 हिन्दी Tiếng Việt Hausa Kurdî Português සිංහල Svenska Yorùbá ئۇيغۇرچە Kiswahili پښتو অসমীয়া دری Кыргызча or नेपाली Čeština Română Nederlands Soomaali తెలుగు മലയാളം Српски Kinyarwanda ಕನ್ನಡ Lietuvių Wolof Українська ქართული Magyar Moore Shqip Македонски Azərbaycan አማርኛ Malagasyالشرح
આ હદીષમાં નબી ﷺ ને સવાલ કરવામાં આવ્યો કે કયો ગુણ ઇસ્લામમાં સૌથી શ્રેષ્ઠ છે? તો નબી ﷺ એ બે ગુણ જણાવ્યા: પહેલો: ગરીબોને વારંવાર ખવડાવવું, અને તેમાં સદકા, ભેટ, મહેમાનગતિ, વલીમો (ભોજન) વગેરેનો સમાવેશ થાય છે, અને ખાસ કરીને દુકાળ તેમજ મોંઘવારીના સમયે ખાવાનું ખવડાવવા પર વધુ મહત્વ આપ્યું છે. બીજું: દરેક મુસલમાનને સલામ કરવું, ભલેને તમે તેને જાણતા હોવ કે ન જાણતા હોવ.فوائد الحديث
દુનિયા અને આખિરતમાં ફાયદો પહોંચાડતી બાબતો જાણવા પ્રત્યે આ હદીષમાં સહાબાઓનો ઉત્સાહ જોવા મળે છે.
સલામ કરવું અને લોકોને ખવડાવવું ઇસ્લામના મહત્વપૂર્ણ કાર્યો માંથી છે; તેની મહત્ત્વતા એટલા માટે કે દરેક સમયે તેની જરૂર લોકોને પડે છે.
આ બંને ગુણોમાં વાત અને કાર્ય વડે સારો વ્યવહાર કરવાનો સમાવેશ થાય છે, જે સંપૂર્ણ એહસાન (સદ્ વ્યવહાર) છે.
આ બન્ને ગુણો મુસલમાનોના અંદરો અંદર વ્યવહારને દર્શાવે છે, અને તે સિવાય આ પ્રમાણેના ગુણો બંદાના પોતાના પાલનહાર સાથેનો વ્યવહાર પણ દર્શાવે છે.
સલામની શરૂઆત ફક્ત મુસલમાનો વચ્ચે જ કરવામાં આવશે, કોઈ પણ કાફિરને પહેલા સલામ કહેવામાં નહીં આવે.