إعدادات العرض
કયામત ત્યાં સુધી નહીં આવે જ્યાં સુધી સૂર્ય પશ્ચિમ દિશા માંથી ન નીકળે, જ્યારે સૂર્ય પશ્ચિમ દિશા માંથી નીકળશે તો…
કયામત ત્યાં સુધી નહીં આવે જ્યાં સુધી સૂર્ય પશ્ચિમ દિશા માંથી ન નીકળે, જ્યારે સૂર્ય પશ્ચિમ દિશા માંથી નીકળશે તો દરેક લોકો જોશે અને દરેક લોકો તરત જ ઈમાન લઈ આવશે
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત છે કરે છે કે નબી ﷺ એ કહ્યું: «કયામત ત્યાં સુધી નહીં આવે જ્યાં સુધી સૂર્ય પશ્ચિમ દિશા માંથી ન નીકળે, જ્યારે સૂર્ય પશ્ચિમ દિશા માંથી નીકળશે તો દરેક લોકો જોશે અને દરેક લોકો તરત જ ઈમાન લઈ આવશે, અને આ જ તે સમય હશે જ્યારે: {કોઇ એવા વ્યક્તિનું ઈમાન લાભ નહીં પહોંચાડી શકે, જે પહેલાથી ઈમાન નથી ધરાવતો, અથવા તો તેણે પોતાના ઈમાન લાવ્યા પછી કોઇ સત્કાર્ય ન કર્યું હોય} [ સૂરે અન્આમ: ૧૫૮] કયામત આવી જશે, હજુ તો બે વ્યક્તિએ પોતાનો કપડાંનો સોદો પૂરો પણ નહીં કર્યો હોય અને તેઓએ કપડું પણ નહીં લપેટયું હોય કે (એટલા માંજ કયામત કાયમ થઈ જશે) અને કયામત એવી સ્થિતિમાં કાયમ થશે કે એક વ્યક્તિ પોતાની ઊંટણીનું દૂધ લઈને આવી રહ્યો હતો અને તે તે દૂધને પી પણ નહીં શકે, એવી જ રીતે કયામત એવી સ્થિતિમાં કાયમ થશે કે એક વ્યક્તિ પોતાનો હોઝ તૈયાર કરી રહ્યો હશે અને તે તેમાંથી પાણીનો વપરાશ પણ નહીં કરી શકે અને કયામત એવી સ્થિતિમાં કાયમ થઈ જશે કે એક વ્યક્તિએ ખાવા માટે એક લુકમો ઉઠાવ્યો હશે પરંતુ તે તેને ખાઈ નહીં શકે».
الترجمة
العربية English မြန်မာ Svenska Čeština Yorùbá Nederlands اردو Español Bahasa Indonesia ئۇيغۇرچە বাংলা Türkçe Bosanski සිංහල हिन्दी Tiếng Việt Hausa മലയാളം తెలుగు Kiswahili پښتو অসমীয়া Shqip دری Ελληνικά Български Fulfulde ಕನ್ನಡ Кыргызча Lietuvių or Română Kinyarwanda Српски тоҷикӣ O‘zbek नेपाली Moore Kurdî Oromoo Wolof Soomaali Français Azərbaycan Tagalog Українська bm தமிழ் Deutsch ქართული Português Македонски Magyar فارسی Русский 中文 km Malagasyالشرح
આપ ﷺ એ જણાવ્યું કે કયામતની મોટી નિશાનીઓ માંથી એક એ પણ કે સૂર્ય પૂર્વ દિશા માંથી નિકળવાને બદલે પશ્ચિમ માંથી નીકળશે, દરેક લોકો તેને જોઇ લે શે અને દરેલ લોકો ઈમાન લઈ આવશે, તે સમયે કાફિરનું ઈમાન લાવવું કંઈ ફાયદો નહીં પહોંચાડી શકે, ન તો કોઈ નેક અમલ ફાયદો પહોંચાડશે અને ન તો કોઈનું તૌબા કરવું ફાયદો પહોંચાડશે. ફરી નબી ﷺ એ આ હદીષમાં જણાવ્યું છે કે કયામત અચાનક કાયમ થઈ જશે, કયામત આવી જશે અહીં સુધી કે લોકો પોતાના રોજિંદા જીવનના કાર્યોમાં વ્યસ્ત હશે; હજુ તો કપડાંની લે-વેચ કરનાર વેપારી કપડું ફેલાવી બેઠા હશે, તેણે તે કપડું વેચ્યું પણ નહીં હોય અને હજુ સમેટ્યું પણ નહીં હોય કે અચાનક કયામત કાયમ થઈ જશે, એવી જ રીતે એક વ્યક્તિ પોતાની ઊંટણીનું દૂધ લઈને આવશે હજુ તે તેને પી પણ નહીં શકે કે અચાનક કયામત કાયમ થઈ જશે, એક વ્યક્તિ પોતાનો હોઝ સાફ કરી રહ્યો હશે હજુ તેણે તેમાં પાણી ભર્યું જ હશે કે અચાનક કયામત કાયમ થઈ જશે, એવી જ રીતે ખાવા માટે માનવીએ એક લુકમો પોતાના મોઢા તરફ ઉઠાવ્યો હશે પરંતુ તે લુકમો ખાઈ નહીં શકે, અને અચાનક કયામત કાયમ થઈ જશે.فوائد الحديث
ઇસ્લામ લાવવું અને તૌબા કરવી ત્યાં સુધી ફાયદાકારક રહેશે જ્યાં સુધી સૂર્ય પશ્ચિમ દિશા માંથી ન નીકળે.
આ હદીષમાં ઈમાન અને સત્કાર્યો વડે કયામતની તૈયારી કરવા પ્રત્યે ધ્યાન આપ્યું છે, કારણકે કયામત અચાનક કાયમ થઈ જશે.