إعدادات العرض
તમે સાબિત પાસે જાઓ અને તેને કહો કે તે જહન્નમી લોકો માંથી નથી પરંતુ તે જન્નતિ લોકો માંથી છે
તમે સાબિત પાસે જાઓ અને તેને કહો કે તે જહન્નમી લોકો માંથી નથી પરંતુ તે જન્નતિ લોકો માંથી છે
અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: નબી ﷺ ને એક દિવસ સહાબી સાબિત બિન કૈસ ન મળ્યા, તો એક સહાબીએ કહ્યું: હે અલ્લાહના રસૂલ ! હું તેમની ખબર કાઢી આપને જણાવું છું, તેઓ તેમના ઘરે આવ્યા તો જોયું કે તેઓ માથું ઝુકાવી બેઠા હતા, તે સહાબીએ કહ્યું: શું હાલ છે? કહ્યું કે ઠીક નથી, તેઓ નબી ﷺ ની સામે ઉંચા અવાજે વાત કરતા હતા, એટલા માટે મારા બધા અમલ વ્યર્થ થઈ ગયા, અને હું જહન્નમી લોકો માંથી બની ગયો, તે સહાબી પાછા આવ્યા અને સંપૂર્ણ મામલો નબી ﷺ ને જણાવી દીધો, બીજી વાર તે જ સહાબી તેમની પાસે એક મોટી ખુશખબર લઈ આવ્યા, અને નબી ﷺ એ કહ્યું: «તમે સાબિત પાસે જાઓ અને તેને કહો કે તે જહન્નમી લોકો માંથી નથી પરંતુ તે જન્નતિ લોકો માંથી છે».
الترجمة
العربية English မြန်မာ Svenska Čeština Yorùbá Nederlands اردو Bahasa Indonesia ئۇيغۇرچە বাংলা සිංහල हिन्दी Tiếng Việt Hausa తెలుగు Kiswahili پښتو অসমীয়া دری Fulfulde Кыргызча Lietuvių Kinyarwanda नेपाली മലയാളം Bosanski ಕನ್ನಡ Kurdî Română Shqip Soomaali Српски Wolof Українська Moore Tagalog தமிழ் Azərbaycan فارسی ქართული 中文 Magyar Português Deutsch Македонски Русский bm Malagasy Oromoo ភាសាខ្មែរ ไทยالشرح
સાબિત બિન કૈસ રઝી અલ્લાહુ અન્હુ આપ ﷺ ને દેખાયા નહીં તો આપ ﷺ એ તેમના વિશે સવાલ કર્યો, એક વ્યક્તિએ કહ્યું કે હું તેમની જાણ આપને આપું છું, અને તેમના ગાયબ રહેવાનું કારણ પણ જણાવું છું, તેઓ તેમની પાસે ગયા તો જોયું કે તેઓ માથું ઝુકાવી પોતાના ઘરમાં ઉદાસ બેઠા છે, તેમણે તેમનો હાલ પૂછ્યો? સાબિતે કહ્યું કે કંઈ ઠીક નથી, કારણકે તેમનો અવાજ નબી ﷺ ની સામે બુલંદ હતો, અને અલ્લાહ તઆલાએ કહ્યું કે જો તમારો અવાજ નબીના અવાજથી ઉંચો થશે તો આ બાબત તમારા અમલને બાતેલ કરવાનું કારણ બનશે, અને તમે જહન્નમી લોકો માંથી થઈ જશો. તે વ્યક્તિ નબી ﷺ પાસે આવ્યા અને સંપૂર્ણ મામલાની જાણ આપી, તો નબી ﷺ એ તે વ્યક્તિને ફરી મોકલ્યા અને સાબિત માટે એક ખુશખબર પણ મોકલાવી, કે તે જહન્નમી લોકો માંથી નથી પરંતુ તે જન્નતી લોકો માંથી છે, અને તેમનો અવાજ પ્રાકૃતિક રૂપે બુલંદ હતો, અને એટલા માટે કે તેઓ અલ્લાહના રસૂલ ﷺ ના પ્રવકતા હતા અને અન્સારના પણ.فوائد الحديث
સાબિત બિન કૈસ રઝી અલ્લાહુ અન્હુની મહત્ત્વતા કે તેઓ જન્નતી લોકો માંથી છે.
નબી ﷺ ની સહાબા પ્રત્યે ચિંતા, અને તેમના પ્રત્યે રુચિ.
સહાબાઓનો ડર અને ચિંતા કે ક્યાંક પોતાના અમલ વ્યર્થ ન થઈ જાય.
નબી ﷺ ની હયાતીમાં તેમની સાથે વાતચીત કરવાનો અદબ, અને તેમના મૃત્યુ પછી તેમની સુન્નત સાંભળતી વખતે અવાજ નીચો રાખવો.
التصنيفات
સહાબા રઝી અલ્લાહુ અન્હુમની મહત્ત્વતા