إعدادات العرض
હું દરેક (જેમની ઈબાદત કરવામાં આવી રહી છે તે દરેક) ભાગીદારોથી તેમના શિર્કથી મુક્ત છું, જ્યારે કોઈ વ્યક્તિ કોઈ એવું…
હું દરેક (જેમની ઈબાદત કરવામાં આવી રહી છે તે દરેક) ભાગીદારોથી તેમના શિર્કથી મુક્ત છું, જ્યારે કોઈ વ્યક્તિ કોઈ એવું કાર્ય કરે છે, જેમાં તે મારી સાથે બીજાને પણ ભાગીદાર ઠેહરાવે છે, તો હું તેને અને તેના શિર્કને છોડી દઉં છું
અબૂ હુરૈરહ રઝી. રિવાયત કરે છે, તેઓએ કહ્યું કે નબી ﷺ એ કહ્યું: «અલ્લાહ તઆલાએ કહ્યું: હું દરેક (જેમની ઈબાદત કરવામાં આવી રહી છે તે દરેક) ભાગીદારોથી તેમના શિર્કથી મુક્ત છું, જ્યારે કોઈ વ્યક્તિ કોઈ એવું કાર્ય કરે છે, જેમાં તે મારી સાથે બીજાને પણ ભાગીદાર ઠેહરાવે છે, તો હું તેને અને તેના શિર્કને છોડી દઉં છું».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Français Bahasa Indonesia Tagalog Türkçe اردو 中文 हिन्दी ئۇيغۇرچە Kurdî Hausa Português മലയാളം తెలుగు Kiswahili မြန်မာ Deutsch 日本語 پښتو Tiếng Việt অসমীয়া Shqip Svenska Čeština Yorùbá Nederlands සිංහල தமிழ் دری Akan Azərbaycan Български Fulfulde Magyar ಕನ್ನಡ Кыргызча Lietuvių नेपाली or Română Kinyarwanda тоҷикӣ O‘zbek Moore Wolof Oromoo bm Українська rn ភាសាខ្មែរ Српски ქართული Македонски Русский Ελληνικά አማርኛ Italiano Malagasyالشرح
આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે અલ્લાહ તઆલાએ કહ્યું: હું દરેક ભાગીદારોના શિર્કથી પવિત્ર છું, અને અલ્લાહ દરેક વસ્તુથી બે નિયાઝ છે, જ્યારે માનવી કોઈ નેકીનું કાર્ય અલ્લાહ અને બીજા માટે કરે છે તો અલ્લાહ તેને કબૂલ નથી કરતો, પરંતુ તે કાર્યને બીજા ભાગીદાર તરફ ફેરવી દે છે; કારણકે કે કોઈ પણ કાર્ય કરતી વખતે ફક્ત અલ્લાહની પ્રસન્નતાની પ્રાપ્તિ જ હોવી જોઈએ, કારણકે તે પવિત્ર છે, અને તે તેજ કાર્ય સ્વીકારે છે, જે ફક્ત તેની જ પ્રસન્નતા માટે કરવામાં આવ્યું હોઇ.فوائد الحديث
આ હદીષમાં દરેક પ્રકારના શિર્ક પ્રત્યે ચેતવણી આપવામાં આવી છે, અને જણાવવામાં આવ્યું કે શિર્ક અલ્લાહ પાસે અમલ કબૂલ થવાથી રોકે છે.
અલ્લાહની બે નિયાઝી અને તેની મહાનતાની ઓળખથી કાર્યોમાં ઇખલાસ (નિખાલસતા) પેદા કરવામાં મદદરૂપ થાય છે.