જન્નત, તમારા ચપ્પલના તળિયાથી પણ વધારે નજીક છે અને એવી જ રીતે જહન્નમ પણ

જન્નત, તમારા ચપ્પલના તળિયાથી પણ વધારે નજીક છે અને એવી જ રીતે જહન્નમ પણ

ઈબ્ને મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ થી રિવાયત છે, તેમણે કહ્યું: નબી ﷺએ કહ્યુ: «જન્નત, તમારા ચપ્પલના તળિયાથી પણ વધારે નજીક છે અને એવી જ રીતે જહન્નમ પણ».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આ હદીષ દ્વારા નબી ﷺ એ આપણને ખબર આપી કે જન્નત અને જહન્નમ માનવીની એટલી જ નજીક છે જેટલું કે તેના ચપ્પલનો તળિયો (સોલ) નજીક છે, જે પગના ઉપરના ભાગમાં હોઈ છે, કારણકે ક્યારેક માનવી અલ્લાહને પસંદ આવે એવું કાર્ય કરી જન્નતમાં દાખલ થઈ જાય છે, અથવા કોઇ એવો ગુનોહ કરે છે જેના કારણે તેને જહન્નમમાં નાખી દેવામાં આવે છે.

فوائد الحديث

આ હદીષમાં નેકી પ્રત્યે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, ભલેને તે થોડુંક જ કેમ ન હોઈ અને ગુનાહ પ્રત્યે ચેતવણી આપવામાં આવી છે, ભલે તે ઓછામાં ઓછો કેમ ન હોઇ.

એક મુસલમાન માટે જરૂરી છે કે તે પોતાના જીવનમાં આશાઓ અને ભય બંનેને એક સાથે રાખે, અને હંમેશા અલ્લાહ પાસે સત્ય પર અડગ રહેવાની દુઆ માંગવી જોઈએ, જેથી તે પોતાની સ્થિતિથી ધોખો ન ખાઈ.

التصنيفات

જન્નત અને જહન્નમની લાક્ષણિકતા