إعدادات العرض
એક મુસલમાનને ગમે તે રોગ, થાક, દુ:ખ, ચિંતા, મુસીબત કે આફત આવે અથવા તેને કાંટો પણ વાગે, તો અલ્લાહ તેના દ્વારા તેના…
એક મુસલમાનને ગમે તે રોગ, થાક, દુ:ખ, ચિંતા, મુસીબત કે આફત આવે અથવા તેને કાંટો પણ વાગે, તો અલ્લાહ તેના દ્વારા તેના ગુનાહોને માફ કરે છે
અબૂ સઇદ ખુદરી અને અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «એક મુસલમાનને ગમે તે રોગ, થાક, દુ:ખ, ચિંતા, મુસીબત કે આફત આવે અથવા તેને કાંટો પણ વાગે, તો અલ્લાહ તેના દ્વારા તેના ગુનાહોને માફ કરે છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Français Bahasa Indonesia Русский Tagalog Türkçe اردو 中文 हिन्दी Tiếng Việt සිංහල ئۇيغۇرچە Kurdî Hausa Português മലയാളം မြန်မာ Deutsch 日本語 پښتو অসমীয়া Shqip Svenska Čeština Yorùbá తెలుగు Kiswahili தமிழ் ไทย دری Кыргызча or Kinyarwanda नेपाली Română Lietuvių Oromoo Nederlands Soomaali Српски Українська ಕನ್ನಡ Wolof Moore ქართული Azərbaycan Magyar Македонски አማርኛالشرح
આ હદીષમાં નબી ﷺ એ સ્પષ્ટ જણાવ્યું કે એક મુસલમાનને કંઈ પણ તકલીફ પહોંચે, જેવી કે બીમારી, ચિંતા, ગમ, મુસીબત, આફત, ડર અને તંગી અહીં સુધી કે જો તેનાપલ પગમાં કાંટો પણ વાગે તો આ દરેક તકલીફ અને મુસીબત તેના ગુનાહોના કફ્ફારો બની જાય છે.فوائد الحديث
મોમિન બંદાઓ પર અલ્લાહની કૃપા અને તેની રહેમતનું વર્ણન કે તેને સામાન્ય તકલીફ પહોંચવા પર તેના ગુનાહો માફ કરી દે છે.
મુસલમાન માટે જરૂરી છે કે તે તકલીફના સમયે અલ્લાહ પાસે સવાબની આશા રાખે, અને તે દરેક નાની મોટી તકલીફો પર સબર કરે, જેથી તેના દરજ્જામાં વધારો થાય અને તેના ગુનાહો માફ થાય.
التصنيفات
તૌહીદની મહ્ત્વતા