નિઃશંક અલ્લાહ તે વ્યક્તિ સાથે મોહબ્બત કરે છે, જે મુત્તકી (પરહેજગાર, ધર્મશીલ), સર્જાનીઓથી બેનિયાઝ, અને વિખ્યાતિથી…

નિઃશંક અલ્લાહ તે વ્યક્તિ સાથે મોહબ્બત કરે છે, જે મુત્તકી (પરહેજગાર, ધર્મશીલ), સર્જાનીઓથી બેનિયાઝ, અને વિખ્યાતિથી બચતો હોય

સઅદ બિન અબી વકકાસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «નિઃશંક અલ્લાહ તે વ્યક્તિ સાથે મોહબ્બત કરે છે, જે મુત્તકી (પરહેજગાર, ધર્મશીલ), સર્જાનીઓથી બેનિયાઝ, અને વિખ્યાતિથી બચતો હોય».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આપ ﷺ એ જણાવ્યું કે અલ્લાહ તઆલા પોતાના કેટલાક બંદાઓ સાથે મોહબ્બત કરે છે, તેમાંથી એક મુત્તકી (પરહેજગાર): તેને કહે છે જે અલ્લાહના આદેશોને માનવવાળો અને તેણે રોકેલા કાર્યોથી બચવા વાળો હોય. બેનિયાઝ (જે દિલનો ધની હોય): જેણે લોકો તરફથી પોતાને બેનિયાઝ કરી લીધો હોય અને ફક્ત અલ્લાહ પર જ ભરોસો કરતો હોય, કોઈની તરફ ધ્યાન ધરતો ન હોય. એવી જ રીતે જે ગુમનામ રહેવા ઇચ્છતો હોય: આજીજ, પોતાના પાલનહાર માટે ઈબાદત કરનાર, તેને ફાયદો પહોંચાડનાર વસ્તુઓમાં વ્યસ્ત હોય, અને તે એમાં રસ નથી ધરાવતો કે કોઈ તેની પ્રસંશા કરે અથવા તેને નામચીન કરે.

فوائد الحديث

આ હદીષમાં કેટલાક એવા લક્ષણોનું વર્ણન જેના કારણે બંદાને અલ્લાહની મોહબ્બત પ્રાપ્ત થઈ શકે છે, એને તે ગુણો અલ્લાહનો તકવો અપનવવો, આજીજી અપનાવવી તેમજ અલ્લાહએ આપેલ વસ્તુઓ પર ખુશ થવું.

التصنيفات

પ્રસંશનીય અખલાક