إعدادات العرض
જે વ્યક્તિએ એક દિવસમાં "સુબ્હાનલ્લાહિ વ બિહમ્દિહિ" સો વખત પઢશે, તો તેના ગુનાહ માફ કરી દેવામાં આવશે, ભલેને તેના…
જે વ્યક્તિએ એક દિવસમાં "સુબ્હાનલ્લાહિ વ બિહમ્દિહિ" સો વખત પઢશે, તો તેના ગુનાહ માફ કરી દેવામાં આવશે, ભલેને તેના ગુનાહ સમુદ્રની ફીણ જેટલા પણ કેમ ન હોય
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિએ એક દિવસમાં "સુબ્હાનલ્લાહિ વ બિહમ્દિહિ" સો વખત પઢશે, તો તેના ગુનાહ માફ કરી દેવામાં આવશે, ભલેને તેના ગુનાહ સમુદ્રની ફીણ જેટલા પણ કેમ ન હોય».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Français Bahasa Indonesia Русский Tagalog Türkçe اردو 中文 हिन्दी සිංහල Kurdî Hausa Português മലയാളം తెలుగు Kiswahili မြန်မာ ไทย Deutsch 日本語 پښتو Tiếng Việt অসমীয়া Shqip Svenska Čeština Yorùbá Nederlands ئۇيغۇرچە தமிழ் دری Fulfulde Magyar ಕನ್ನಡ Кыргызча Lietuvių Malagasy Română Kinyarwanda नेपाली Српски Wolof Soomaali Moore Українська Български Azərbaycan ქართული тоҷикӣ bm Македонски አማርኛ Oromoo ភាសាខ្មែរالشرح
આ હદીષમાં આપ ﷺ જણાવી રહ્યા છે કે જે વ્યક્તિ એક દિવસમાં સો વખત "સુબ્હાનલ્લાહિ વ બિહમ્દિહિ" પઢશે તો તેના ગુનાહ ખત્મ કરી દેવામાં આવે છે અને તેને માફ કરી દેવામાં આવે છે, ભલેને તેણે કેટલાય ગુનાહ કેમ ન કર્યા હોય, જેવા કે સમુદ્રના કિનારા પર તેના મોજા અને તેની લહેરો દ્વારા દેખાતી સફેદ ફીણ જેટલા પણ કેમ ન હોય.فوائد الحديث
આ સવાબ સતત દિવસમાં સો વખત પઢનાર અથવા અંતરાલ સો વખત પઢનર બંનેને પ્રાપ્ત થશે.
અત્ તસ્બીહ: અલ્લાહ તઆલાની પવિત્રતાનું વર્ણન કે તે દરેક ખામીથી પાક છે, વલ્ હમ્દ (પ્રસંશા): તેને મોહબ્બત અને મહાનતા સાથે દરેક પ્રકારથી સપૂર્ણ માનવો.
આ હદીષમાં જે ગુનાહ માફ કરવાની વાત છે, તે સગીરહ (નાના) ગુનાહ છે, કબીરહ (મોટા) ગુનાહ જેના માટે તૌબા કરવી જરૂરી છે.