إعدادات العرض
અમારા માંથી કેટલાક પોતાના દિલોમાં એવા વિચાર અનુભવીએ છીએ કે અમે તે વિચાર જબાન પર લાવવાનું મોટું પાપ સમજીએ છીએ, આપ ﷺ…
અમારા માંથી કેટલાક પોતાના દિલોમાં એવા વિચાર અનુભવીએ છીએ કે અમે તે વિચાર જબાન પર લાવવાનું મોટું પાપ સમજીએ છીએ, આપ ﷺ એ કહ્યું: «શું ખરેખર તમે પોતાના દિલોમાં આ પ્રમાણે અનુભવો છો?» તેઓએ કહ્યું: હા, આપ ﷺ એ કહ્યું: «આ તો સ્પષ્ટ ઈમાન છે
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: આપ ﷺ ના સહાબાઓ માંથી કેટલાક આપની પાસે આવ્યા અને કહ્યું: અમારા માંથી કેટલાક પોતાના દિલોમાં એવા વિચાર અનુભવીએ છીએ કે અમે તે વિચાર જબાન પર લાવવાનું મોટું પાપ સમજીએ છીએ, આપ ﷺ એ કહ્યું: «શું ખરેખર તમે પોતાના દિલોમાં આ પ્રમાણે અનુભવો છો?» તેઓએ કહ્યું: હા, આપ ﷺ એ કહ્યું: «આ તો સ્પષ્ટ ઈમાન છે».
الترجمة
العربية English မြန်မာ Svenska Čeština Yorùbá Nederlands اردو Español Bahasa Indonesia ئۇيغۇرچە বাংলা Türkçe Bosanski සිංහල हिन्दी Tiếng Việt Kurdî Hausa മലയാളം తెలుగు Kiswahili پښتو অসমীয়া Shqip دری Ελληνικά Български Fulfulde ಕನ್ನಡ Кыргызча Lietuvių or Română Kinyarwanda Српски тоҷикӣ O‘zbek नेपाली Moore Wolof Soomaali Tagalog Français Azərbaycan Українська bm தமிழ் Deutsch ქართული Português Македонски Magyar فارسی Русский 中文 ភាសាខ្មែរ Malagasy Oromooالشرح
સહાબાઓ માંથી એક જૂથ આપ ﷺ પાસે આવ્યું અને કહેવા લાગ્યું કે અમે અમારા દિલોમાં ખૂબ જ મોટી વાત અનુભવીએ છીએ, જેને અમે તેની દુષ્ટતાના કારણે અમારી જબાન પર લાવી નથી શકતા, તે વિષે નબી ﷺ ને સવાલ કર્યો, આપ ﷺએ તેમને પૂછ્યું: શું ખરેખર વાત આવી જ છે? જો વાત આવી જ હોય તો જાણી લો કે આ જ તો સાચું ઈમાન અને યકીન છે, જે કઈ શૈતાન તમારા દિલોમાં નાખે છે, તેનાથી તમે લોકો પીઠ ફેરવી રહ્યા છો, અને તેને જબાન પર પણ લાવી નથી શકતા, જાણવા મળ્યું કે શૈતાને તમારા દિલો પર કાબુ નથી મેળવ્યો, તેના વિરુદ્ધ જો કોઈ વ્યક્તિ શૈતાન જે વાતો દિલમાં નાખે છે અને તેનાથી ન રુકે તો એનો મતલબ એ થશે કે શૈતાને તેના દિલ પર કાબુ મેળવી લીધો છે.فوائد الحديث
શૈતાન માટે ઇમાનવાળાઓની સાથે નબળાઈનું વર્ણન કારણકે તેને ફક્ત વસ્વસાનો એક રસ્તો આપવામાં આવ્યો છે.
જે કઈ વસ્વસા દિલોમાં આવે છે તેનો ઇન્કાર કરવો, એટલા માટે કે તે શૈતાન તરફથી હોય છે.
શૈતાનના વસ્વસા એક મોમિનને નુકસાન નથી પહોંચાડી શકતા, એટલા માટે તરત જ દિલોમાં આવતા વસ્વસાથી અલ્લાહની પનાહ માંગવી જોઈએ અને તેને દિલો માંથી કાઢી નાખવા જોઇએ.
એક મુસલમાન માટે દીન બાબતે કોઈ મુશ્કેલ સવાલ પર ચૂપ રહેવું યોગ્ય નથી, પરંતુ જરૂરી છે કે તેના વિશે સવાલ કરી લેવામાં આવે.