إعدادات العرض
એક બંદાએ ગુનોહ કર્યો પછી કહે છે: હે અલ્લાહ તું મારા ગુનાહ માફ કરી દે
એક બંદાએ ગુનોહ કર્યો પછી કહે છે: હે અલ્લાહ તું મારા ગુનાહ માફ કરી દે
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે તેઓએ કહ્યું: નબી ﷺ પોતાના સર્વશક્તિમાન અને મહાન અલ્લાહ તઆલાથી રિવાયત કરતાં કહે છે: «એક બંદાએ ગુનોહ કર્યો પછી કહે છે: હે અલ્લાહ તું મારા ગુનાહ માફ કરી દે, તો અલ્લાહ તઆલા કહે છે: મારા બંદાએ ગુનોહ કર્યો અને તે જાણે છે કે તેનો એક પાલનહાર છે, જે તેના ગુનાહ માફ કરે છે, અને તે ગુનાહ પર પકડ પણ કરી શકે છે, અને પછી પાછો ગુનાહ પણ કરે છે, પછી કહે છે: હે મારા પાલનહાર ! મારા ગુનાહ માફ કરી દે, તો અલ્લાહ તઆલા કહે છે: મારા બંદાએ ગુનોહ કર્યો અને તે જાણે છે કે તેનો એક પાલનહાર છે, જે તેના ગુનાહ માફ કરે છે, અને તે ગુનાહ પર પકડ પણ કરી શકે છે, અને પછી પાછો ગુનાહ પણ કરે છે, પછી પાછો કહે છે, હે મારા પાલનહાર ! મારા ગુનાહ માફ કરી દે,તો અલ્લાહ તઆલા કહે છે: મારા બંદાએ ગુનોહ કર્યો અને તે જાણે છે કે તેનો એક પાલનહાર છે, જે તેના ગુનાહ માફ કરે છે, અને તે ગુનાહ પર પકડ પણ કરી શકે છે , મેં મારા બંદાને માફ કરી દીધો, તે જે ઈચ્છે, તે કરે».
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Français Bahasa Indonesia Русский Tagalog Türkçe اردو 中文 हिन्दी ئۇيغۇرچە Kurdî Hausa Português മലയാളം తెలుగు Kiswahili မြန်မာ Deutsch 日本語 پښتو Tiếng Việt অসমীয়া Shqip Svenska Čeština አማርኛ Yorùbá Nederlands සිංහල தமிழ் ไทย دری Fulfulde Magyar Italiano ಕನ್ನಡ Кыргызча Lietuvių or Română Kinyarwanda Српски O‘zbek Moore नेपाली Malagasy тоҷикӣ Oromoo Wolof Soomaali Български Українська Azərbaycan ქართული bm Македонскиالشرح
આપ ﷺ પોતાના પાલનહારથી રિવાયત કરે છે કે જ્યારે કોઈ બંદો ગુનાહનું કામ કરે છે, પછી કહે: હે અલ્લાહ મારા ગુનાહ માફ કરી દે, અલ્લાહ તઆલા કહે છે: મારા બંદાએ ગુનોહ કર્યો, તે જાણે છે કે તેનો એક પાલનહાર છે જે તેના ગુનાહ માફ કરે છે, તેને છુપાવે છે, અને તે તેના પર સજા પણ આપી શકે છે તે તેને માફ કરી દે છે. પછી બંદો ફરી ગુનોહ કરે છે અને કહે છે: મારા પાલનહાર મારા ગુનાહ માફ કરી દે, અલ્લાહ તઆલા કહે છે: મારા બંદાએ ગુનોહ કર્યો, અને તે જાણે છે કે તેનો એક પાલનહાર છે, જે તેના ગુનાહ માફ કરે છે, તેના ગુનાહ છુપાવે છે, તેનો બદલો આપે છે અથવા તેની પકડ કરે છે, મેં મારા બંદાને માફ કરી દીધો. પછી ફરી બંદો ગુનોહ કરે છે અને કહે છે: મારા પાલનહાર મારા ગુનાહ માફ કરી દે, અલ્લાહ તઆલા કહે છે: મારા બંદાએ ગુનોહ કર્યો, અને તે જાણે છે કે તેનો એક પાલનહાર છે, જે તેના ગુનાહ માફ કરે છે, તેના ગુનાહ છુપાવે છે, તેનો બદલો આપે છે અથવા તેની પકડ કરે છે, મેં મારા બંદાને માફ કરી દીધો જે ઈચ્છે બંદો કરે, જયારે પણ બંદો ગુનાહ કરે છે, તેને છોડવાનો ઈરાદો કરે છે, તેના પર તેને અફસોસ પણ થાય છે, અને તે ફરી ગુનાહ ન કરવાનો મક્કમ ઈરાદો પણ કરે છે, પરંતુ નફસ તેના પર હાવી થઈ જાય છે અને તે ફરીવાર ગુનાહ કરે છે, જ્યારે પણ તે ગુનાહ કરશે અને તૌબા કરી લેશે, તો હું તેના ગુનાહ માફ કરી દઈશ, એટલા માટે કે તૌબા કરવાથી અલ્લાહ પહેલાના ગુનાહ માફ કરી દે છે.فوائد الحديث
અલ્લાહ તઆલાની પોતાના બંદાઓ પર ભવ્ય કૃપા અને ફઝલ, અને એ કે માનવી જ્યારે પણ ગુનાહ કરે અને પછી તૌબા કરી લે અને તેની તરફ ઝૂકી જાય તો અલ્લાહ તેની તૌબા કબૂલ કરે છે.
પોતાના પાલનહાર પર ઈમાન ધરાવનાર વ્યક્તિ પોતાના પાલનહારથી માફીની આશા રાખે છે, અને તેનીથી પણ સજાથી ડરે છે, એટલા માટે સતત ગુનાહ કરવાની જગ્યાએ જલ્દી તૌબા કરી લે છે.
સાચી તૌબા માટેની શરતો: ગુનાહ કરવાનું છોડી દેવુ, તેના પર અફસોસ થવો અને તેને ફરી ન કરવાનો મક્કમ ઈરાદો કરવો, અને જો ગુનાહનો સબંધ કોઈ બંદા સાથે હોય, જેવું કે કોઈનો માલ અથવા તેની ઇઝ્ઝત અથવા કોઈને કતલ કરીને તેના પર જુલમ કર્યો હોય તો ચોથી શરત એ પણ હોય છે, કે તેણે જેના પર જુલમ કર્યો હોય તેને તેનો હક આપી દેવો જોઈએ.
અલ્લાહ વિશે ઇલ્મ પ્રાપ્ત કરવાની મહત્ત્વતા જે પોતાના બંદાને દીન વિશે જણાવે છે, કે તે જ્યારે ગુનાહ કરે તો તૌબા કરી લે, અને તેનાથી નાસિપાસ ન થાય અને ન તો તેનાથી દૂર થાય.
التصنيفات
ઝિકરની મહ્ત્વતા