إعدادات العرض
કોઇ નિર્ણયમાં લાંચ લેનાર તથા આપનાર બંને પર અલ્લાહના રસૂલ ﷺ એ લઅનત કરી છે
કોઇ નિર્ણયમાં લાંચ લેનાર તથા આપનાર બંને પર અલ્લાહના રસૂલ ﷺ એ લઅનત કરી છે
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: કોઇ નિર્ણયમાં લાંચ લેનાર તથા આપનાર બંને પર અલ્લાહના રસૂલ ﷺ એ લઅનત કરી છે.
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે]
الترجمة
العربية Bosanski English فارسی Français Русский हिन्दी Bahasa Indonesia 中文 বাংলা ئۇيغۇرچە اردو Español Kurdî Português മലയാളം తెలుగు Kiswahili தமிழ் සිංහල မြန်မာ ไทย 日本語 پښتو Tiếng Việt অসমীয়া Shqip Svenska Čeština Yorùbá Nederlands Türkçe Hausa دری Кыргызча Lietuvių Kinyarwanda नेपाली or ಕನ್ನಡ Oromoo Română Soomaali Српски Wolof Українська Tagalog Moore Azərbaycan ქართული Magyar Deutsch Македонски bm አማርኛالشرح
નબી ﷺ એ લાંચ આપનાર અને લાંચ લેનાર બંને માટે અલ્લાહની દયા અને કૃપાથી દુરીની બદ્ દુઆ કરી છે. પરંતુ હદીસમાં તેનો ઉલ્લેખ નિર્ણય આપવા સાથે ખાસ કરવામાં આવ્યો છે, કારણ કે નિર્ણયને પ્રભાવિત કરવા માટે લાંચ આપવી એ એક મોટું પાપ છે, જે શરિઅતના હુકમને તોડી પાડવાના ઘૃણાસ્પદ કૃત્યને જરૂરી બનાવે છે.فوائد الحديث
લાંચ આપવી અથવા લેવી કે મધ્યસ્થ તરીકેથી કામ કરવું અને આ સંબંધમાં કોઈ પણ રીતે મદદ કરવી એ પણ હરામ છે; કારણ કે આ ખોટા કામમાં મદદ કરવા સમાન છે.
લાંચ આપવી કે લેવી બંને કબીરહ ગુનાહો માંથી છે; કારણકે અલ્લાહના રસૂલ ﷺ એ લેનાર અને આપનાર બંને પર લઅનત કરી છે.
ચુકાદા અને નિર્ણયની બાબતોમાં લાંચ લેવી એ વધુ જઘન્ય અપરાધ અને મોટું પાપ છે; કારણ કે તેમાં ગેરકાયદેસર રીતે લોકો પાસેથી પૈસા મેળવવા, અલ્લાહના નિર્ણયને બદલવા, અને અલ્લાહે જે જાહેર કર્યું છે તેના સિવાયના અન્ય બાબતોના આધારે નિર્ણય લેવાનો સમાવેશ થાય છે.
التصنيفات
ન્યાયાધીશ માટેના આદાબ