إعدادات العرض
તમારો શું વિચાર છે કે હું ફરજ નમાઝ પઢું અર્થાત્ પાંચ વખતની નમાઝ પઢું અને નફિલ નમાઝ ન પઢું અને ફક્ત રમજાનના રોઝા…
તમારો શું વિચાર છે કે હું ફરજ નમાઝ પઢું અર્થાત્ પાંચ વખતની નમાઝ પઢું અને નફિલ નમાઝ ન પઢું અને ફક્ત રમજાનના રોઝા રાખું, નફિલ રોઝા ન રાખું, હલાલને હલાલ સમજું અને હરામને હરામ સમજું
જાબિર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: એક વ્યક્તિએ નબી ﷺ ને સવાલ કર્યો: તમારો શું વિચાર છે કે હું ફરજ નમાઝ પઢું અર્થાત્ પાંચ વખતની નમાઝ પઢું અને નફિલ નમાઝ ન પઢું અને ફક્ત રમજાનના રોઝા રાખું, નફિલ રોઝા ન રાખું, હલાલને હલાલ સમજું અને હરામને હરામ સમજું, અને તેનાથી વધારે કઈં પણ ન કરું, તો શું આ મારા માટે જન્નતમાં દાખલ થવા માટે પૂરતું છે? નબી ﷺ એ કહ્યું: «હાં», તે વ્યક્તિએ કહ્યું: અલ્લાહની કસમ હું આનાથી વધારે કઈ નહીં કરું.
الترجمة
العربية Kurdî English Kiswahili Español اردو Português বাংলা Bahasa Indonesia فارسی தமிழ் हिन्दी සිංහල Tiếng Việt മലയാളം Русский မြန်မာ ไทย پښتو অসমীয়া Shqip Svenska Čeština አማርኛ Yorùbá Nederlands ئۇيغۇرچە Türkçe Bosanski Hausa తెలుగు دری Ελληνικά Azərbaycan Български Fulfulde Italiano ಕನ್ನಡ Кыргызча Lietuvių Malagasy or Română Kinyarwanda Српски тоҷикӣ O‘zbek नेपाली Moore Oromoo Wolof Tagalog Soomaali Français Українська bm Deutsch ქართული Македонски Magyar 中文الشرح
આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે જે વ્યક્તિ પાંચ ફર્ઝ નમઝો પઢે, નફિલ નમઝો ન પઢે, ફક્ત રમજાન મહિનાના રોઝા રાખે અને બીજા નફિલ રોઝા ન રાખે, અને અલ્લાહ એ જે હલાલ કર્યું છે તેને હલાલ સમજી કરે, અને જે વસ્તુ અલ્લાહએ હરામ કર્યું છે તેને હરામ સમજી તેનાથી બચે, તો તે જન્નતમાં દાખલ થશે.فوائد الحديث
આ હદીષ દ્વારા જાણવા મળ્યું કે એક મુસલમાન ફરજો બજાવવા અને હરામ કર્યો (પ્રતિબંધિત વસ્તુઓ) થી દૂર રહેવા માટે ઉત્સુક હોવો જોઈએ અને તેનો હેતુ ફક્ત જન્નતમાં પ્રવેશવાનો હોવો જોઈએ.
આ હદીષ જે હલાલ છે તેને હલાલ સમજવા અને જે હરામ છે તેને હરામ સમજવાનું મહત્વ દર્શાવે છે.
હલાલ કાર્યો કરવા અને હરામ કાર્યોથી બચવું એ જન્નતમાં દાખલ થવાનું એક મહત્વનું કારણ છે.