إعدادات العرض
?તે જૂથ સાથે ફરિશ્તાઓ નથી હોતા, જેમાં કૂતરું અને ઘંટડી હોય
?તે જૂથ સાથે ફરિશ્તાઓ નથી હોતા, જેમાં કૂતરું અને ઘંટડી હોય
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «તે જૂથ સાથે ફરિશ્તાઓ નથી હોતા, જેમાં કૂતરું અને ઘંટડી હોય».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]
الترجمة
عربي বাংলা Bosanski English Español فارسی Français Bahasa Indonesia Русский Tagalog Türkçe اردو 中文 हिन्दी ئۇيغۇرچە Hausa Kurdî Português සිංහල Svenska አማርኛ Yorùbá Tiếng Việt Kiswahili پښتو অসমীয়া دری Кыргызча mg or Soomaaliالشرح
આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે ફરિશ્તાઓ તે લોકોના કાફલા સાથે સફર નથી કરતા, જેમની સાથે કુતરુ હોય, અથવા ઘંટડી હોય, જે જાનવરોના ગળામાં લટલાવવામાં આવી હોય, જ્યારે તેઓ ચાલે તો તે ઘંટડી અવાજ કરે.فوائد الحديث
શિકાર કરવા અથવા સુરક્ષા સિવાય અન્ય કોઈ કામ માટે કુતરુ રાખવું કે પાળવું હરામ છે.
જે ફરિશ્તાઓ આપણી સાથે નથી હોતા, તે રહેમતના ફરિશ્તા હોય છે, પરંતુ સુરક્ષા કરનાર ફરિશ્તાઓ કયારે પણ અલ્લાહના બંદાઓથી અલગ થતાં નથી, ભલે તે સફરમાં હોય કે ઘરે.
ઘંટડીથી રોકવામાં આવ્યા; કારણકે તે શૈતાનની વાંસળીઓ માંથી એક છે, અને આ ઘંટડી ઈસાઈઓની ઘંટડી સાથે સમાનતા ધરાવે છે.
એક મુસલમાન માટે જરૂરી છે કે તે દરેક વસ્તુથી દૂર રહે જેના કારણે ફરિશ્તા તેનાથી દૂર થઈ જાય છે.
التصنيفات
ફરિશ્તાઓ