إعدادات العرض
જે વ્યક્તિ લૈલતુલ્ કદરની રાત ઈમાનની સાથે તેમજ નેકીની આશા મનમાં રાખી ઈબાદતમાં પસાર કરે તો તેના પાછળના ગુનાહ માફ…
જે વ્યક્તિ લૈલતુલ્ કદરની રાત ઈમાનની સાથે તેમજ નેકીની આશા મનમાં રાખી ઈબાદતમાં પસાર કરે તો તેના પાછળના ગુનાહ માફ કરી દેવામાં આવશે
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિ લૈલતુલ્ કદરની રાત ઈમાનની સાથે તેમજ નેકીની આશા મનમાં રાખી ઈબાદતમાં પસાર કરે તો તેના પાછળના ગુનાહ માફ કરી દેવામાં આવશે»
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Français Bahasa Indonesia Русский Tagalog Türkçe اردو 中文 हिन्दी Kurdî Hausa Português മലയാളം తెలుగు Kiswahili தமிழ் မြန်မာ Deutsch 日本語 پښتو Tiếng Việt অসমীয়া Shqip Svenska Čeština Yorùbá Nederlands ئۇيغۇرچە සිංහල دری Fulfulde Magyar Italiano ಕನ್ನಡ Кыргызча Lietuvių or Română Kinyarwanda Српски тоҷикӣ O‘zbek Moore नेपाली Oromoo Wolof Soomaali Български Українська Azərbaycan bm ქართული Македонски Ελληνικά Akan ភាសាខ្មែរ አማርኛ Malagasyالشرح
આ હદીષમાં નબી ﷺ પવિત્ર રમઝાનના છેલ્લા દસ દિવસોમાં લૈલતુલ્ કદરની મહત્ત્વતા જણાવી રહ્યા છે, નિઃશંક જે વ્યક્તિ આ રાત્રિ તથા તેની મહત્ત્વતા પર ઈમાન રાખી, અને અલ્લાહ તરફથી મળવાવાળા સવાબની આશા રાખી રિયાકારી અને દેખાડાથી બચીને આ રાતમાં જાગીને ઈબાદત કરે, જેમકે નમાઝ પઢે, દુઆઓ કરે, કુરઆનની તિલાવત કરે અને અન્ય બીજી દુઆઓ પઢે તો તેના પાછલા ગુનાહો (પાપો) માફ કરી દેવામાં આવે છે.فوائد الحديث
લૈલતુલ્ કદરની મહત્ત્વતા અને તે રાત્રે જાગીને તેમ ઈબાદત કરવા પ્રત્યે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
કોઈ પણ નેક અમલ ત્યારે જ કબૂલ કરવામાં આવશે, જ્યારે તેને સાચી નિયત સાથે કરવામાં આવે.
અલ્લાહની કૃપા અને તેની રહેમત, કે જે વ્યક્તિ લૈલતુલ્ કદરની રાત ઈમાન અને ઈબાદતમાં ઇખલાસ સાથે પસાર કરશે તો અલ્લાહ તેના પાછલા ગુનાહ માફ કરી દેશે.