આ સાચી વાત તે હોય છે જિન આકાશ માંથી જાણી લાવે છે અને પોતાના સાથી જ્યોતિષને કાનમાં એવી રીતે જણાવે છે કે જે રીતે એક…

આ સાચી વાત તે હોય છે જિન આકાશ માંથી જાણી લાવે છે અને પોતાના સાથી જ્યોતિષને કાનમાં એવી રીતે જણાવે છે કે જે રીતે એક મરઘી કુકડેકુક કરે છે એ રીતે જણાવી દે છે, અને તેઓ તેમાં પોતાની સો જૂઠી વાતો ભેળવી દે છે

આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેણી કહે છે: કેટલાક લોકોએ નબી ﷺ પાસે જ્યોતિષીઓ વિશે સવાલ કર્યો, તો નબી ﷺ એ કહ્યું: તેમની વાતોમાં કોઈ સત્યતા નથી, લોકોએ કહ્યું કે હે અલ્લાહના રસૂલ ! તેઓ કેટલીક વખત અમને તે વાતો જણાવે છે જે સાચી થઈ જાય છે? તો નબી ﷺ એ કહ્યું: «આ સાચી વાત તે હોય છે જિન આકાશ માંથી જાણી લાવે છે અને પોતાના સાથી જ્યોતિષને કાનમાં એવી રીતે જણાવે છે કે જે રીતે એક મરઘી કુકડેકુક કરે છે એ રીતે જણાવી દે છે, અને તેઓ તેમાં પોતાની સો જૂઠી વાતો ભેળવી દે છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

નબી ﷺ ને તે લોકો વિશે પૂછવામાં આવ્યું, જેઓ ભવિષ્યમાં થનારી કેટલીક વાતો જણાવતા હતા, તો નબી ﷺ એ કહ્યું: તેમની ફિકર ન કરો, તેમની વાતોને સાચી ન માનો અને તેમના આદેશો મુજબ અમલ ન કરો. આ સાંભળી સહાબાઓએ કહ્યું: તેમની વાતો ક્યારેક ક્યારેક સાચી થઈ જાય છે, જેવું કે તેઓ ગેબ વિશે જણાવતા હોય છે કે આ મહિનામાં આ વસ્તુ થશે, આ દિવસે આ પ્રમાણે થશે, તો તે થઈ જાય છે. તો નબી ﷺ એ જણાવ્યું કે જિન આકાશની ખબરો માંથી અમુક વાતો જાણી લે છે, અને તે જિન પોતાના જ્યોતિષ દોસ્ત પાસે આવી તેને કાનમાં કહી દે છે, ફરી તે જ્યોતિષ જિને કહેલી વાતોમાં સો જૂઠી વાતો ઉમેરો કરે છે.

فوائد الحديث

જ્યોતિષની વાતોને સાચી માનવાથી રોક્યા છે, અને જે કઈ તેઓ કહે છે, તે જૂઠી વાત અને ઘડી કાઢેલી વાતો છે, ભલેને તે સાચું પણ કેમ ન થઈ જાય.

નબી ﷺ ને પયગંબર બનાવ્યા પછી, શૈતાનોથી આકાશોને સુરક્ષિત કરી દીધા, ત્યાર બાદ તેમના માટે વહી અથવા અન્ય ખબરોને સાંભાળવું શક્ય ન રહ્યું, જો કોઈ તારાઓથી બચીને સાંભળી લે તો અલગ વાત છે.

જિન માનવીઓ માંથી કેટલાક લોકોને પોતાના દોસ્ત બનાવે છે.

التصنيفات

તૌહીદે ઉલુહિયત, અજ્ઞાનતાની બાબતો