إعدادات العرض
જેણે તાવીજ બાંધ્યું તણે શિર્ક કર્યું
જેણે તાવીજ બાંધ્યું તણે શિર્ક કર્યું
ઉકબા બિન આમીર અલ્ જુહ્ની રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: એક વખત નબી ﷺ પાસે એક જૂથ આવ્યું, તો નબી ﷺ તેમના નવ લોકો સાથે બૈઅત કરી, પરંતુ એક વ્યક્તિ સામેથી હાથ ખેંચી લીધો, તો તે લોકોએ કહ્યું: હે અલ્લાહના પયગંબર ! તમે નવ લોકો સાથે બૈઅત (સંકલ્પ) કરી અને એકને છોડી દીધો? નબી ﷺ એ કહ્યું: «તેણે તાવીજ બાંધ્યું છે», આ સાંભળી તેણે ગળામાં હાથ નાખી તે તાવીજ તોડી નાખ્યું, અને નબી ﷺ એ કહ્યું: «જેણે તાવીજ બાંધ્યું તણે શિર્ક કર્યું».
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Français Bahasa Indonesia Русский Tagalog Türkçe اردو 中文 हिन्दी Hausa Kurdî Português සිංහල Svenska Yorùbá ئۇيغۇرچە Tiếng Việt Kiswahili پښتو অসমীয়া دری Кыргызча or Čeština नेपाली Nederlands Soomaali తెలుగు Српски മലയാളം Kinyarwanda Română ಕನ್ನಡ Lietuvių Wolof Magyar ქართული Moore Українська Македонски Azərbaycan አማርኛ Malagasy Shqipالشرح
એક જૂથ નબી ﷺ પાસે આવ્યું, જેમની સંખ્યા દસ હતી, તો નબી ﷺ એ તેમના માંથી નવ લોકો સાથે બૈઅત કરી, અને દસમાં વ્યક્તિ પાસેથી બૈઅત ન લીધી, તો જ્યારે તેની સાથે બૈઅત ન કરવાનું કારણ પૂછવામાં આવ્યું તો નબી ﷺ એ કહ્યું: તેણે તાવીજ બાંધ્યું છે, અને તાવીજ એ કે જે નુકસાન અથવા બુરાઈથી બચવા માટે દોરી અથવા તેના જેવી કોઈ વસ્તુઓ દ્વારા બાંધવામાં આવે છે. તો તે વ્યક્તિ એ તાવીજની જગ્યાએ હાથ નાખ્યો અને તે તાવીજને તોડી નાખ્યું, અને તેનાથી પાક થઈ ગયો, તો નબી ﷺ એ તેની સાથે પણ બૈઅત કરી, અને તાવીજ વિરુદ્ધ ચેતવણી આપતા અને તેના વિશે સ્પસ્ટ આદેશ જણાવી દીધો: "જેણે તાવીજ બાંધ્યું તેણે શિર્ક કર્યું".فوائد الحديث
જે વ્યક્તિ અલ્લાહ સિવાય અન્ય વસ્તુઓ પર ભરોસો કરશે, તો અલ્લાહ તેની સાથે તેની નિયત વિરુદ્ધ વર્તન કરશે.
એવી માનયતા રાખવી કે તાવીજ બાંધવાથી નુકસાન અને તકલીફ દૂર થશે, તો તે શિર્કે અસગર (નાનું શિર્ક) છે, પરંતુ જો એવી માન્યતા રાખવામાં આવે કે તાવીજ જાતે જ ફાયદો પહોંચાડે છે, તો તે શિર્કે અકબર (મોટું શિર્ક છે).
التصنيفات
તૌહીદે ઉલુહિયત