?પોતાના ઘરોને કબ્રસ્તાન ન બનાવો, મારી કબર ને મેળો ન બનાવશો, અને તમે જ્યાં પણ હોવ મારા પર દરૂદ મોકલતા રહો, કારણકે તમે…

?પોતાના ઘરોને કબ્રસ્તાન ન બનાવો, મારી કબર ને મેળો ન બનાવશો, અને તમે જ્યાં પણ હોવ મારા પર દરૂદ મોકલતા રહો, કારણકે તમે જ્યાં પણ હશો, તમારું દરુદ મારા સુધી પહોંચાડવામાં આવે છે

અબૂ હુરૈરહ રઝી. રિવાયત કરે છે, તેઓએ કહ્યું કે નબી ﷺ એ કહ્યું: «પોતાના ઘરોને કબ્રસ્તાન ન બનાવો, મારી કબર ને મેળો ન બનાવશો, અને તમે જ્યાં પણ હોવ મારા પર દરૂદ મોકલતા રહો, કારણકે તમે જ્યાં પણ હશો, તમારું દરુદ મારા સુધી પહોંચાડવામાં આવે છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

નબી ﷺ એ ઘરોને નફિલ નમાઝોથી દૂર રહીને ઘરને કબ્રસ્તાન જેવા બનાવવાથી રોક્યા છે, જ્યાં કોઈ પણ નમાઝ પઢવામાં આવતી નથી, અને નબી ﷺ એ સતત તેમની કબરની મુલાકાત લેવાથી રોક્યા છે, કારણકે તે શિર્કનો એક માર્ગ છે, અને નબી ﷺ એ આદેશ આપ્યો કે જમીનમાં જ્યાં પણ રહીને તમે દરૂદ પઢશો, ભલેને તમે નજીક હોય કે દૂર, બન્ને રીતે એક સરખો જ મને પહોંચશે, એટલા માટે નબી ﷺ ની કબર પર વધારે જવાની જરૂરત નથી.

فوائد الحديث

ઘરને અલ્લાહ ઈબાદતથી વંચિત રાખવું હરામ છે.

નબી ﷺ ની કબરની ખાસ મુલાકાત માટે સફર કરવો હરામ છે, કારણકે નબી ﷺ એ દરૂદ પઢવાનો આદેશ આપ્યો અને જણાવ્યું કે તે દરૂદ તેમને પહોંચે પણ છે, આપણે ફક્ત મસ્જિદ જવા અને ત્યાં નમાઝ પઢવા માટે સફર કરી શકીએ છીએ.

નબી ﷺ ની કબરની મુલાકાત માટે ખાસ પ્રકારના તરીકો અપનાવવા અને ખાસ સમય નક્કી કરી જુલૂસ એકઠું કરવું જાઈઝ નથી, એવી જ રીતે દરેક લોકોની કબર પર આ પ્રકારનું કાર્ય કરવું જાઈઝ નથી.

અલ્લાહ પાસે નબી ﷺ ની મહાનતાનો અંદાજો તે વાતથી લગાવી શકાય છે કે તેમના માટે દરેક જગ્યા અને કોઈ પણ સમયે પઢવામાં આવતું દરૂદ તેમને પહોંચાડવામાં આવે છે.

કબરો પાસે નમાઝ પઢવી હરામ છે, અને આ વાત સહાબાઓને સારી રીતે ખબર હતી, એટલા માટે જ નબી ﷺએ ઘરોને કબ્રસ્તાન બનાવવાથી રોક્યા છે, જ્યાં નમાઝ પઢવામાં ન આવે.

التصنيفات

નેક અમલ કરવાની મહ્ત્વતા