إعدادات العرض
જે વ્યક્તિ અલ્લાહ સાથે તે સ્થિતિમાં મુલાકાત કરશે કે તેણે અલ્લાહ સાથે કોઈને ભાગીદાર ઠેહરાવ્યો ન હતો તો તે જન્નત…
જે વ્યક્તિ અલ્લાહ સાથે તે સ્થિતિમાં મુલાકાત કરશે કે તેણે અલ્લાહ સાથે કોઈને ભાગીદાર ઠેહરાવ્યો ન હતો તો તે જન્નત માં દાખલ થશે અને જેણે કોઈને તેની સાથે ભાગીદાર ઠેહરાવ્યો હશે તો તે જહન્નમમાં દાખલ થશે
જાબિર બિન અબ્દુલ્લાહ રઝી. થી રિવાયત છે, તેમણે કહ્યું: મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «જે વ્યક્તિ અલ્લાહ સાથે તે સ્થિતિમાં મુલાકાત કરશે કે તેણે અલ્લાહ સાથે કોઈને ભાગીદાર ઠેહરાવ્યો ન હતો તો તે જન્નત માં દાખલ થશે અને જેણે કોઈને તેની સાથે ભાગીદાર ઠેહરાવ્યો હશે તો તે જહન્નમમાં દાખલ થશે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Français Bahasa Indonesia Türkçe اردو 中文 हिन्दी Tagalog ئۇيغۇرچە Kurdî Hausa Português മലയാളം తెలుగు Kiswahili தமிழ் မြန်မာ Русский Deutsch 日本語 پښتو Tiếng Việt অসমীয়া Shqip Svenska Čeština Yorùbá Nederlands සිංහල دری Български Fulfulde Magyar ಕನ್ನಡ Кыргызча Lietuvių or Română Kinyarwanda тоҷикӣ O‘zbek Akan नेपाली Moore Azərbaycan Wolof Oromoo Soomaali Українська Bambara ភាសាខ្មែរ rn ქართული Македонски Српски Ελληνικά Malagasy ไทย da मराठी ਪੰਜਾਬੀ Lingala Italiano አማርኛالشرح
આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે જે વ્યક્તિનું મૃત્યુ એ સ્થિતિમાં થાય કે તેણે અલ્લાહ સાથે કોઈને ભાગીદાર ઠેહરાવ્યો નહિ હોય, તો તેનું ઠેકાણું જન્નત છે, ભલેને તેને તેના અમુક ગુનાહોની સજા પણ કેમ ન આપવામાં આવે, અને જે વ્યક્તિ એ સ્થિતિમાં મૃત્યુ પામ્યો કે તે અલ્લાહ સાથે કોઈને ભાગીદાર ઠેહરાવતો હતો તો તેનું ઠેકાણું હંમેશા માટે જહન્નમ હશે.فوائد الحديث
તૌહીદની મહત્વતા કે તે હંમેશા માટે જહન્નમથી બચવાનું કારણ છે.
જન્નત અને જહન્નમ બંને બંદાથી નજીક છે અને તેમની અને બંદાની વચ્ચે ફક્ત મોત છે.
આ હદીષમાં દરેક નાના અને મોટા શિર્કથી સચેત કરવામાં આવ્યા છે, કારણકે તે જહન્નમ તરફ લઈ જાય છે.
કાર્યોનો આધાર તેના અંતિમ સ્થિતિ પર આધારિત છે.